Abtak Media Google News

વ્યાખ્યાન અને ધ્વજા રોહણ સહિતના આયોજન થયા

Vlcsnap 2018 07 09 08H55M44S108

ગાંધીગ્રામ ખાતે પરમ પૂજય વ્રજસેન વિજયજી ગણીવર્યની પ્રેરણા અને આશીર્વાદથી અને પૂ. આચાર્ય દેવ હેમપ્રભુસુરીશ્ર્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શનથી શ્રી ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા રાજકોટના આંગણે પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય જોડાયો હતો. આ ઉપરાંત વ્યાખ્યાન તેમજ ધ્વજારોહણનું આયોજન પણ થયું હતુ.

Vlcsnap 2018 07 09 09H03M07S194

આ તકે ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જનસંઘના ડો.હિતેષ દોશીએ અબતકને જણાવ્યું હતુકે શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પ્રથમ વર્ષગાંઠ નિમિતે અમારી સમિતિના બધા જ સભ્યોએ સુંદર કામગીરી કરી વર્ષગાંઠની ઉજવણી કરી છે. આ ઉપરાંત વ્યાખ્યાનનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય જોડાયો છે. આ તકે ધ્વજારોહણ પણ કરાયું છે. તેમજ જમણવારનું પણ આયોજન કરાયું છે. ત્યારે અમે સર્વે શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના સભ્યો હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.