Abtak Media Google News
  •  યુનિવર્સીટીનું ભાવિ રાજકારણીઓ નહિ શિક્ષણવિદોના હાથમાં…
  • બને બોર્ડની અત્યાર સુધી રચના ન થતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની એવી ડીગ્રી એનાયત માટેનો પદવીદાન સમારોહ અટકી પડ્યો હતો

હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું ભાવિ રાજકારણીઓ નહિ શિક્ષણવિદોના હાથમાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયની રાહ બાદ હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એકેડેમિક કાઉન્સિલની રચના કરવામાં આવી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સીલની રચના અત્યાર સુધી ન થતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની એવી ડીગ્રી એનાયત માટેનો પદવીદાન સમારોહ અટકી પડ્યો હતો. જોકે હવે નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ મૂજબ 2 કમિટીની રચના કરવામા આવી છે. જોકે, અહિં આઇક્યૂએસી કમિટીમાંથી જેમને હટાવેલા તેવા કલાસવાને કુલપતિએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાખવા પડ્યા છે. આ ઉપરાંત બંને કમિટીમાં માત્ર 5 ભવનનાં અને સંઘના ઉમેદવારને મહત્વ આપવામાં આવ્યું છે. કારણકે કુલપતિ પોતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ પોતાને હોમ સાયન્સ ભવનનાં હેડ તરીકે નિયુક્ત કર્યા છે.

જ્યારે હિન્દી ભવનનાં હેડ ડૉ. બી. કે. કલાસવા, એજ્યુકેશનના હેડ ડૉ.ભરત રામાનુજ જયારે ટિચરની બેઠક પર પત્રકારત્વ ભવનનાં હેડ ડૉ. નીતા ઉદાણી અને હોમ સાયન્સના પ્રોફેસર એચ. ડી. જોષીને નિયુક્ત કર્યા છે. જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હાઈલી રેપ્યુટેડ એમિનેન્ટ રિસર્ચ પર્સન તરીકે ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ રામા શંકર દુબે, નેશનલ રેકોગ્નાઇઝડ ઇન્સ્ટિટયૂટમાંથી એમિનેન્ટ એક્સપર્ટ તરીકે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર અનુપમ શુક્લ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટમાં એમ. સી. એ. ભવનના અધ્યક્ષ સી. કે. કુંભારણા અને ટીચર તરીકે બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડૉ. રાહુલ કુંડુ અને એમ. સી. એ. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. અતુલ ગોંસાઈની નિમણૂક કરવામાં આવી છે.

બોર્ડ ઓફ મેનેજમેન્ટ

  • ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ રામા શંકર દુબે
  • સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર
  • હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટમાં એમ. સી. એ. ભવનના અધ્યક્ષ સી. કે. કુંભારણા
  • ટીચર તરીકે બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડૉ. રાહુલ કુંડુ
  • એમ. સી. એ. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. અતુલ ગોંસાઈ

એકેડમિક કાઉન્સીલ

  • કુલપતિ ડૉ. નીલાંબરી દવ
  • હિન્દી ભવનનાં હેડ ડૉ. બી. કે. કલાસવા
  • એજ્યુકેશનના હેડ ડૉ.ભરત રામાનુજ
  • ટિચરની બેઠક પર પત્રકારત્વ ભવનનાં હેડ ડૉ. નીતા ઉદાણી
  • હોમ સાયન્સના પ્રોફેસર એચ. ડી. જોષી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.