Abtak Media Google News

મોબાઈલ હવે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. રોજબરોજના કામોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. બેંકિંગથી લઈને ફૂડ ઓર્ડર કરવા સુધીનું બધું જ આ ગેજેટથી થાય છે. આપણા રોજિંદા જીવનમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સાથે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મોબાઈલની બેટરી 100 ટકા ચાલે.કેટલાક લોકો આ માટે 100 પૂરા ચાર્જ કરે છે.

Advertisement

કેટલાક લોકો રાત્રે સૂતી વખતે બીજા દિવસે સવાર સુધી મોબાઈલ ચાર્જિંગ પર રાખે છે. જોકે, આમ કરવું મોબાઈલની બેટરી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મોબાઇલ ફોનમાં લિથિયમ-આયન બેટરીને 80 ટકા સુધી ચાર્જ કરવી સલામત માનવામાં આવે છે. લિથિયમ-આયન બેટરી સતત 20 ટકાથી નીચે અથવા 80 ટકાથી વધુ ચાર્જ થવી જોઈએ નહીં.

Images 6 4

લિથિયમ-આયન બેટરીમાં બે ઈલેક્ટ્રોડ હોય છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. જો તેઓ વધારે ચાર્જ થાય છે, તો બેટરીનું જીવન ઘટી જાય છે. જ્યારે મોબાઈલ 100 ટકા ભરાઈ જાય, ત્યારે પાવર સપ્લાય બંધ કરો. જોકે, મોબાઈલ ફોનને મહિનામાં માત્ર એક જ વાર 100 ટકા ચાર્જ કરો. વારંવાર 100 ટકા ચાર્જ કરવાથી મોબાઈલ ફોનને નુકસાન થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.