Abtak Media Google News

ગાંધીનગરમાં હાજર ન હોવાના કારણે સીએમ ઉઘડતી કચેરીએ કોઇને ન મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સામાન્ય રિતે દર સોમવારે મૂલાકાતીઓ તમામ ધારાસભ્યો અને પ્રજાજનને મળતા હોય છે પરંતુ આજે મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે હાજર ન હોવાના કારણે કોઇને મળી શક્યા ન હતા. મુખ્યમંત્રી છેલ્લા બે દિવસથી નવી દિલ્હીની મૂલાકાતે છે. ગત શનિવારે તેઓએ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી. દરમિયાન ગઇકાલે નવા સંસદ ભવનના લોકાર્પણ વિધીમાં ઉ5સ્થિત રહ્યા હતા. આજે પણ તેઓ ગુજરાત પરત ફર્યા નથી. જેના કારણે મૂલાકાતીઓને મળી શક્યા ન હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નાગરિકોને મુલાકાત માટે મળી શક્યા ન હતા. મુખ્યમંત્રી તેમના પૂર્વ નિર્ધારિત રોકાણોને કારણે આજે સોમવારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ઉપસ્થિત રહ્યા ન હતા. મુખ્યમંત્રી સામાન્ય નાગરિકો, જનપ્રતિનિધિઓ અને પ્રજાવર્ગોને  મુખ્યમંત્રી કાર્યાલયમાં  દર સોમવારે  મુલાકાત માટે જનતા દિવસ અન્વયે મળતા હોય છે. પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અન્યત્ર રોકાણોના કારણે લોકોને મુલાકાત માટે મળશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.