Abtak Media Google News

ભુપેન્દ્રભાઇ પટેલ પાટનગરમાં ન હોવાના કારણે મુલાકાતીઓને મળશે નહી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દર સપ્તાહે પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારના રોજ અરજદારો અને મુલાકાતીઓને રૂબરૂ મુલાકાત આપતા હોય છે પરંતુ આજે સીએમ પાટનગરમાં હાજર ન હોવાના કારણે મુલાકાતીઓને મળશે નહીં. આવતીકાલે તેઓ અરજદારોને મળશે.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે એક નવી જ પ્રણાણી શરુ કરી છે. જેમાં તેઓ સપ્તાહના આરંભે સોમવાર અને મંગળવારના રોજ ફરીયાદી, અરજદાર અને મુલાકાતીઓને મળતા હોય છે અને તેઓની સમસ્યા સાંભળતા હોય છે. દરમિયાન આજે સીએમ પોતાના પૂર્વ નિર્ધારિત અન્યત્ર રોકાણના કારણે લોકોને મળી શકશે નહીં. આજે ગાંધીનગર ખાતે સીએમની મુલાકાત માટે અરજદારો કે મુલાકાતીઓએ ધકકો ન ખાવા આહવાન કરવામાં આવ્યું છે. દરમિયાન આવતીકાલે ભુપેન્દ્રભાઇ પટેલ નિર્ધારિત સમયે મુલાકાતીઓને મુલાકાત આપશે અની તેઓને સાંભળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.