Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ભગવાન જગન્નાથ ની ૧૪૧ મી રથયાત્રા નું મુખ્યમંત્રી નિવાસસ્થાને સી.એમ ડેશ બોર્ડ ની કમાન્ડ ક્ધટ્રોલ વોલ દ્વારા રિયલ ટાઈમ મોનીટરીંગ કર્યું હતું. તેમણે રથયાત્રા ના રૂટ ની અને રથયાત્રા ક્યાં પહોંચી ..ભક્તજનો નો ઉત્સાહ તથા કાયદો વ્યવસ્થાની અને રથયાત્રા ના પોલીસ બઁદોબસ્ત ની સ્થિતિ નું પણ નિરીક્ષણ કર્યું હતું અને માર્ગ દર્શન આપ્યું હતું. મુખ્યસચિવ ડો.જે એન સિંહ પણ તેમની સાથે જોડાયા હતા.

Advertisement

Img 6739મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉભા કરવા માં આવેલા સી એમ ડેશ બોર્ડ માં કમાન્ડ  કંટ્રોલ વોલ મારફતે મુખ્યમંત્રીશ્રી રાજ્ય માં જિલ્લા તાલુકા સ્તર ની તલસ્પર્શી પરિસ્થિતિ થી સતત અપડેટ થતા રહે છે. એટલું જ નહીં પ્રજા જીવન ને સ્પર્શતી સરકાર ના વિભાગો ની સેવાઓ અને વિવિધ યોજનાઓ ના અમલીકરણ ની સ્થિતિ નો પણ તાગ મેળવી સંબધિત વિભાગો અધિકારીઓ ને સૂચનો અને માર્ગદર્શન આપતા રહે છે.. આ સી એમ ડેશ બોર્ડ ત્રીજું નેત્ર થર્ડ આઇ બનીને રિયલ ટાઈમ મોનીટરીંગ નું એક આગવું માધ્યમ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.