Abtak Media Google News

રજુઆતને ઘ્યાને રાખી મુખ્યમંત્રીએ કમિટીની રચના કરી સફાઇ કામદારોને તેમા સમાવવાની બાહેધરી આપી?

ગુજરાતના સફાઇ કામદારોના પ્રશ્ર્નોની રજુઆત માટે આગેવાનો કરશનભાઇ વાઘેલા, મુકેશભાઇ પરમાર અને બટુકભાઇ વાઘેલા મુખ્યમંત્રીને મળ્યા હતા. આ દરમ્યાન મુખ્યમંત્રીએ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ સંદર્ભે આગેવાનોએ અબતકનું શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓના જણાવ્યા મુજબ રજુઆતના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સફાઇ કામદારોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે તેઓ અઠવાડીયા સુધીમાં એક કમીટીની રચના કરશે. જેમાં વાલ્મીકી સમાજના આગેવાનોને પણ સમાવવામાં આવશે. મુખ્યમંત્રીના હકારાત્મક વલણથી સફાઇ કામદારોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.