Abtak Media Google News

આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં 10 હજારથી વધારે લોકોએ સાબરમતીની સફાઇ આરંભી હતી. સવારે 8 વાગે ગાંધીઆશ્રમ પાછળ નદીમાં ઉતરીને રૂપાણીએ સાબરમતીને સ્વચ્છ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

નદીના તટ પર ઘણા ઐતિહાસિક સંકલ્પો લેવાયા હતા અને આ નદીને સ્વચ્છ કરી આપણે ઇતિહાસ રચી વિશ્વને પ્રેરણાદાયી બની રહીશું. આજે નદીઓની સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ દિવસ છે, ત્યારે મહાનગરપાલિકા અને આ મહાયજ્ઞમાં જોડાયેલા નગરજનોને અભિનંદન પાઠવી અવિરત આ યજ્ઞ ચાલુ રાખવા આહવાન આપ્યું હતું.

આજથી પ્રારંભાયેલો આ મહાયજ્ઞ આગામી તા.9મી જૂન,2019 સુધી ચાલુ રહેશે.પરંતુ આ મહાયજ્ઞ અવિરત ચાલુ રહે અને નગરજનો સવાર-સાંજ 1કલાકનું યોગદાન આપે એવી અપીલ છે.

Vijay Rupani 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.