બાળકોએ કુમળા ફુલ જેવા હોય છે. તેને પંપાળી અને સમજાવીને જીદ કરતા અટકાવવા જોઇએ. પરંતુ ક્યારેક બાળકની જીદ એટલી હદે વધે છે કે તેને સમજાવવા હથિયાર અપનાવે છે. અને પહેલાંના જમાનાની કહેવત પણ હતી કે ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે સમસમ’ પરંતુ અત્યારની પેઢીના બાળકો માટેની તમામ વ્યાખ્યા અને બાળ મનોવિજ્ઞાનની થીયરી બદલી છે ત્યારે શાળામાં પણ વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડવાની મનાઇ આવી છે. ત્યાર ઘરે તોફાન જીદ કરતા બાળકને મારવું કેટલું યોગ્ય છે. તો આ બાબતે અનેક રુઢીવાદી લોકો ડિસીપ્લીન માટે બાળકોને માર મારે છે. ત્યારે બીજી બાજુઆ વિષય પર એક્સપર્ટનું કંઇક અલગ કહેવું છે તેઓનાં કહેવા પ્રમાણે આ વસ્તુ કે આવું બાળક સાથેનું વર્તન તદ્ન ખોટું છે તેમજ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે બાળકોને માર માારવોએ નુકશાનકારક સાબિત થાય છે. કારણ કે તેવા વર્તનથી બાળક સુધરવાના બદલે વધુ બગડે છે. ટેક્ષાસ યુનિવર્સિટીના એક અધ્યયન અનુસાર ૧૨,૧૧૨ બાળકોને લઇ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરુપ માર મારવા વચ્ચે ભલેને ગમે એટલો અંતરાલ આવે તેનું પરિણામ ખરાબ જ આવે છે. આમ બાળકોને માર મારવો એ અસરકારક ટેકનીક નથી. એનાથી બાળકોમાં વર્તનમાં જે પરિવર્તન આવે છે તે ભયાનક જ આવે છે એટલે બાળકોને માર મારવોએ સકારાત્મક નથી….
Trending
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે રાજકોટમાં: વિશાળ રોડ-શો કરે તેવી સંભાવના