Abtak Media Google News

મોરબીથી કંડલા જઇ રહેલા મુસ્લિમ પરિવારને નડ્યો અકસ્માત

માળીયા નજીક આજે વહેલી સવારે છોટા હાથીમાં મોરબીથી કંડલા જઈ રહેલા મુસ્લિમ પરિવારને અકસ્માત નડતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ૧૧ વ્યક્તિને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે મોરબીનો મુસ્લિમ પરિવાર છોટાહાથી વાહનમાં મોરબી થી કંડલા તરફ જઈ રહ્યો હતો ત્યારે   માળિયાના હરિપર નજીક અચાનક જ છોટાહાથીનું ટાયર ફાટતા વાહન ડિવાઈડર પર ચડી જઇ પલટી મારી ગયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે છોટાહાથીમાં સવાર સમલીબેન ઇસ્માઇલભાઈ આમદાણી,ઉ.૧૮ રે.સુરેન્દ્રનગર તથા સલીમ ઇસભાઈ ભટ્ટી, ઉ.૨૫, રે. હાઉસિંગ બોર્ડ ધ્રાંગધ્રાવાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વધુમાં માળીયાના હરિપર ગોળાઈ નજીક છોટા હાથી પલટી જવાને કારણે બે વ્યક્તિના મોત થવાની સાથે સાથે ૧૧ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં ઇજા પામેલાઓમાં નાગોરી સીદીકભાઈ મોવર, નિલેશ આદોદારીયા, રહીમ ઇસાભાઈ ભટ્ટી, રે.ધ્રાંગધ્રા, લાયમાં, રે. સુરેન્દ્રનગર, સાનિયા અલ્લારખા, રે.વિદરકા, શેરબાનું અયુબભાઇ, અયુબભાઇ ઇસ્માઇલ, ઇમરાન સામનાણી, કુલસુમ સંઘવાણી,રે. સુરેન્દ્રનગર, હિતેશ નકુમ રે.ધ્રાંગધ્રા, સાનિયા સંઘવાણી,રે.વિદરકા, ઝુંબેદા ગિલાભાઈ, રે. માળીયા, નસીમાબેન અલરખા સંઘવાણી, વિદરકા, અફસાના યુનુસભાઈ ભટ્ટી, રે.સુરેન્દ્રનગર, જન્મતબેન જુસબભાઈ ભટ્ટી, રે. ધ્રાંગધ્રા ને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.