Abtak Media Google News

આંધ્રપ્રદેશથી લાકડા ભરીને રાજકોટ આવતી વેળાએ સર્જાઈ કરુણાંતિકા

ચોટીલા પાસે મોલડી ગામ નજીક આવેલી એક હોટલમાં ગ્રાઉન્ડમાં ટ્રક પર તાડપત્રી બાંધતી વેળાએ વીજતાર અડી જતાં ટ્રકના ચાલક સહિત બેનાં મોત નિપજ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી બંને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાનના અને વાંકાનેર તાલુકાના મહીકા ગામના ટ્રકમાં આંધ્રપ્રદેશથી લાકડા ભરી રાજકોટ પહોંચાડવા નીકળેલા ઉમેદખાન દાઉદખાન મંગેલિયા અને યાર મહમદ કાસમખાન ચોટીલા નજીક મોલડી ગામની એક હોટલના ગ્રાઉન્ડમાં ઊભા હતા. ત્યારે ટ્રક પર તાડપત્રી બાંધતી વેળાએ ઉપરથી પસાર થતો વીજતાર અડી જતાં બંને યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

આ ઘટના અંગે જાણ થતાં ચોટીલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ જે. પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારજનોને જાણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.