Abtak Media Google News

ભાવનગર, રોહિત સંતાણી:

કોરોનાના દોઢ વર્ષના કપરાકાળમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે વિકાસને આંચ આપવા દીધી નથી. કોરોનાના કારણે રાજ્યનો વિકાસ ગતિ પર કોઈ અસર પડી નથી. છેલ્લા 41 દિવસમાં રાજ્યમાં 10,400 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસ યાત્રાનો સીલસીલો સતત આગળ ધપી રહ્યો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગરની મુલાકાત લઈ ભાવનગરવાસીઓને રૂપિયા 70 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.

મુખ્યમંત્રીનું એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સીએમને આવકારવાં એરપોર્ટ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, મેયર કીર્તિબાળા દાણિધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર સહિતના આગેવાનો હજાર રહ્યા હતા.

સાંભળો શું કહે છે મુખ્યમંત્રી 

 

 ભાવનગર-બોટાદ-અમરેલી જિલ્લાના લોકોને હવે ભાવનગરમાં જ કેન્સર કેર સારવાર સુવિધા મળશે

મુખ્યમંત્રીએ ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો. કેન્સર જેવા જટિલ રોગની સારવાર માટે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમેરલી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી આવી સારવાર માટે આવવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી ભાવનગરમાં આ કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ શરૂ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આ હેતુસર અમદાવાદની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ સાથે એમઓયુ કર્યા છે.

તદઅનુસાર, ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રૂા.3ર.11 કરોડના ખર્ચે અદ્યતન સારવાર સાધનો સાથે ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ નિર્માણ પામ્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સવારે 10 કલાકે ભાવનગર પહોચ્યા હતા.અને આ ઈસ્ટીટયૂટ સહિત ભાવનગર મહાનગરને અન્ય વિકાસ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ વિકાસ કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા.18.88 કરોડના ખર્ચે નિર્મિત ર9ર આવાસોના લોકાર્પણ કર્યું હતું. પ્રતિક રૂપે તેઓ કેટલાક લાભાર્થીઓને આવાસની ચાવી પણ અર્પણ કરી હતી.

પાંચ એમ.એલ.ડી ક્ષમતાના રૂ.પ.ર7 કરોડના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના રૂ.13.રપ કરોડના વિકાસકામોનું લોકાર્પણ

79B71A37 Deb1 4C75 9D51 86D8C9Be4Fb3

આ અવસરે રાજ્યના મહિલા-બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઇ સોલંકી તેમજ ધારાસભ્ય જિતુભાઇ વાઘાણી, આત્મારામભાઇ પરમાર અને કેશુભાઇ નાકરાણી તથા આર.સી. મકવાણા, ભીખાભાઇ બારૈયા અને કનુભાઇ બારૈયા પણ ઉપસ્થિત રહયાં હતા. મુખ્યમંત્રી ભાવનગર મહાનગરમાં નારી ખાતે અમૃત યોજના અન્વયે રૂા.પ.ર7 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંચ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

એટલું જ નહિ, તેઓ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.ર.રપ કરોડના ખર્ચે સિટી બ્યૂટિફિકેશન તહેત નિર્માણ થયેલા નારી ગામના તળાવનું અને દુ:ખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી રૂા. 10.99 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર મહાનગરના મેયર કીર્તિબાળા દાણીધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ વગેરે પણ આ લોકાર્પણ સમારોહમાં જોડાયાં હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર મહાનગરને આ બહુવિધ લોકાર્પણોની ભેટ ભાવનગરની પ્રત્યક્ષ મુલાકાત લઇને સાંજે ગાંધીનગર પરત ફર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.