Abtak Media Google News

આત્મીય કોલેજમાં ફાર્મસીનો અભ્યાસ કરતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંં: બહેનના એકલૌતા ભાઈના મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટમાં નાનામવા રોડ પર આંબેડકરનગરમાં રહેતા અને આત્મીય કોલેજમાં ફાર્મસીનો અભ્યાસ કરતા કોલેજીયન યુવાને ગઈકાલે પોતાની ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ આંબેડકરનગરમાં રહેતા અને કોલેજમાં ફાર્મસીસમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ ક્રતા ચિરાગભાઈ ગોપાલભાઈ ચૌહાણ ઉ.22એ ગતકાલે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયોહતો. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે પરિવારજનો ઘરે ઉપરના માળે કંઈક સામાન મૂકી રહ્યા હતા ત્યારે પાછળથી નીચે ચિરાગે આત્મઘાતી પગલુ ભર્યું હતુ મૃતક ચિરાગ આત્મીય કોલેજમાં ફાર્મસીસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો

અને તે એક બહેનનો એકલૌતો મોટો ભાઈ હતો પરિવાર આપઘાતના કારણ અંગે હાલ અજાણ હોવાથી પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.