Abtak Media Google News

વલસાડ વડનગર દૈનિક ટ્રેનને આજે સુરત રેલવે સ્ટેશન રેલ્વે રાજ્યમંત્રીએ લીલી ઝંડી બતાવીવલસાડ અને વડનગર વચ્ચેની દૈનિક ઇન્ટરસિટી ટ્રેનને સુરત રેલવે સ્ટેશને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે લીલી જંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન શરૂ થતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતાં ઉત્તર ગુજરાતવાસીઓને લાભ મળશે.

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું કે ભવિષ્યમાં ટ્રેનને વાપી સુધી લંબાવવામાં આવશે અને ઉત્તર ગુજરાતમાં નવા સ્ટેશનોનો સ્ટોપેજ આપવાનું વિચારણામાં છે.

વલસાડ અને વડનગર વચ્ચેની આ નવી ટ્રેનને કારણે સવારના સમયમાં વધુ એક ટ્રેનની સુવિધા પ્રવાસીઓને મળી છે. ટ્રેન નો સમય પ્રવાસીઓ માટે ખૂબ જ અનુકૂળ હોવાથી બીજા ટ્રેનના પ્રવાસીઓ પણ આ ટ્રેનમાં પ્રવાસ કરવાનું વધુ પસંદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.