Abtak Media Google News

વિદ્યાભારતી સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર ક્ધયાશાળાનાં વ્યવસ્થાપક કમિટીનાં સભ્ય દલસુખભાઈ જાગાણીને મનપા શાસક પક્ષનાં નેતા તરીકે નિમણુંક થતા સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરએ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દલસુખભાઈ પોતાની સેવાભાવી પ્રવૃત્તિઓ અને લોકકલ્યાણકારી કામગીરીઓ થકી સફળતા શિખરો હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કરતા રહે  તેમણે દલસુખભાઈને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી  ડો.બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રમેશભાઈ ઠાકર, અનીલભાઈ કિંગર, કીર્તિદાબેન જાદવ, અક્ષયભાઈ જાદવ, રણછોડભાઈ ચાવડા અને હસુભાઈ ખાખી સહિત સમગ્ર સંસ્થા-શાળા પરિવારે દલસુખભાઈ જાગાણીને શાસક પક્ષના નેતા બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.