Abtak Media Google News

પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ થાય તો પાલિકાને તાળાબંધી કરવાની કોંગી અગ્રણીઓની ચિમકી

મોરબી શહેરના પાણી-લાઈટ, રોડ રસ્તા અને સફાઈ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોય , પ્રજાના પ્રશ્નોને વાચા આપવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના પટાંગણમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

પાલિકાના પટાંગણમાં યોજાયેલા એક દિવસીય ઉપવાસ આંદોલનમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા, કોંગ્રસ અગ્રણી મુકેશભાઈ ગામી, રમેશભાઈ રબારી તેમજ કોંગ્રેસના હોદેદારો અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.પાલિકા તંત્ર નાગરિકોને સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે તો કામોમાં પણ ભ્રષ્ટાચાર થયા હોય જેની માહિતી પાલિકા તંત્ર આપતું નથી. સરકારી યોજનાના રૂપિયા ક્યાં અને કેટલા વપરાયા તેની રાઈટ ટૂ એજ્યુકેશનમાં માહિતી આપતી ના હોય અને નગરજનો અસુવિધાથી ત્રાહિમામ પોકારી ગયા છે તેવા કોંગી અગ્રણીઓએ આક્ષેપો કર્યા હતા.

વધુમાં કોંગી અગ્રણીઓએ જણાવ્યું કે પાલિકા તંત્ર જો પ્રશ્નોનો ઉકેલ નહિ લાવે તો આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરવાની પણ કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.