Abtak Media Google News

સમગ્ર વિશ્વને હચમચાવનાર COVID-૧૯ મહામારી સામે સર્વ મોરચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે મહામારી ઉપદ્રવ કાબુમાં આવ્યો હોવાના સંકેતો. પણ હજુ વધુ સાવચેતીની આવશ્યકતા

ચીનના વું આનમાંથી શરૂ થયેલી કોરોના મહામારી એ સમગ્ર વિશ્વ ગણતરી આ દિવસોમાં જ ભરડામાં લઈ લીધું હતું અને તબીબી ટેકનોલોજી અને પોતાના વિસ્તારના આત્મવિશ્વાસમાં રાચતા વિશ્વના ઘણા શક્તિ સાડી તબીબી વ્યવસ્થાપન ધરાવતા દેશો પણ જાણે કે ઊંઘતા ઝડપાઈ ગયા હોય તેમ આ સંક્રમણ કાબૂમાં લેવામાં નિષ્ફળ નિવડ્યા હતા ઈટાલી અમેરિકા યુરોપના દેશો ચીન પછી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ થયેલા વ્યાપક ખાના ખરાબી નો ભોગ બન્યા હતા ભારતમાં પણ આ મહામારીએ જબરદસ્ત અફડાતફડી ફેલાવી હતી વિશ્વભર દુનિયામાં સૌથી વધુ બીજા નંબરની વસ્તી ધરાવતા ભારતની સ વિશેષચિંતા હતી કેમ કે ભારતની ગીચ વસ્તી અને જીવનધોરણ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફેલાયેલા ગરીબ અને મધ્યમ વર્ગના પ્રમાણમાં ઓછા શિક્ષિત અને જીવન ધોરણની સજાગતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને ખેવ ના ની ઊણપના કારણે ભારતની પરિસ્થિતિ સૌથી વધુ ચિંતાજનક હતી વળી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવતા ધારાવી મુંબઈ ની પરિસ્થિતિ જેવી ચિંતાજનક બાબત ઉપરાંત ઉંમરલાયકનાગરિકો ની સંખ્યા ડાયાબિટીસ બ્લડપ્રેશર વ્યાપક વ્યાધિ જેવા સંજોગોમાં ભારત પર આફતકેવી ભયંકર પરિસ્થિતિ ઊભી થશે તેની કલ્પના જ ચિંતાનો વિષય હતું ભારતમાં ૨૨મી માર્ચના જનતા કરફયૂ થીશરૂ થયેલા કોરોના દૂધમાં લાંબી કવાયત બાદ હવે આ મહામારી ને આપણે અને ખાસ કરીને ગુજરાત માં રિકવરી મોડ માં લાવવામાં સફળતા મળવા લાગી છે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ભારતના અન્ય રાજ્યો અને વિશ્વભરમાંથી આ મહામારી દરમિયાન હજારોની સંખ્યામાં બહાર વસતા લોકો નું આવાગમન થયું અને સોશિયલ ટ્રાન્સમિશન લો વિશેષ પ્રભાવ રહ્યો હતો પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્રીય માળખાગત આરોગ્ય વિભાગે વહીવટી તંત્ર સુરક્ષા તંત્ર અને સામાજિક સંસ્થાઓના માધ્યમથી ગુજરાતમાં જે રીતે કોરોના મહામારી કાબુમાં લેવા માટે પગલા લીધા હતા તેમાં હવે ફળદાયી પરિણામો મળવા લાગ્યા છે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ની વાત કરીએ તો પ્રારંભિક તબક્કામાં અને મધ્ય તબક્કામાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાસંક્રમણના દર્દીઓ અને માનવજીવનની ખું માં ચિંતાજનક રીતે વધારો નોંધાયો હતો પરંતુ સાવચેતી પૂર્વક ની કામગીરીથી હવે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓ ના રિકવરી રેટમાં સંતોષજનક રીતે વધારો થઈ રહ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ મોટા પ્રમાણમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘેર જઈ રહ્યા છે રિકવરી રેટના સુધારાના આ સંજોગો પાછળ સરકારી વ્યવસ્થાતંત્રની સગન કામગીરી ઉપરાંત આ બીમારી સામે આવેલી સામાજીક જનજાગૃતિ ની સાથે સાથે સુરક્ષા તંત્ર એટલે કે ખાસ કરીને પોલીસ દ્વારા બિમારીને કાબુમાં લેવા માટે આવશ્યક એવા સોશિયલ Distance ના નિયમો ની રખેવાળી માટે જે રીતે રાત દિવસ એક કરીને કામગીરી કરી હતી તેનાથી કોરોના સંક્રમણ માં અસરકારક રીતે કાબુ મેળવી લેવાયો છે રાજકોટ સહિત ગુજરાતમાં અત્યારની પરિસ્થિતિએ કોરોના મહામારી રિકવરી મોડ મા આવી ચૂકી છે જોકે નિષ્ણાતોનું માનવું છે કે કોરો નો ના વાયરસ કાયમી ધોરણે માનવ સમાજનો પીછો લાંબા સમય સુધી છોડવાનો નથી પરંતુ હવે આ વાયરસ હાજરી વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્ર નું જીવન જીવતા શીખી ગયું છે કોરોના ના પ્રારંભિક લક્ષણો દેખાતા ની સાથે પરીક્ષણ માટેની જાગૃતિ વ્યવસ્થા અને સરકારી મિશનરીઓની સક્રિયતાને કોરોના ના કેસો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે પરંતુ પ્રારંભિક તબક્કામાં આ બીમારી પકડાઈ જવાથી સાવચેતી અને તબીબી સારવાર પોઝિટિવ દર્દીઓ મોટા પ્રમાણમાં નેગેટિવ થઈ રહ્યા છે રિકવરી રેટ પાછળ દવા સારવારની સાથે સાથે ઘરગથ્થુ ઉપચાર આયુર્વેદિક ઉકાળો અને હાથ મોઢું ધોવાની જીવન સેનેટાઈઝર નો ઉપયોગ પરિવહન ક્ષેત્રે સોશિયલ Distance ના કડક અમલ જેવા પરિબળો થી ગુજરાતમાં કાબૂમાં આવી ગયો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ગુજરાતમાં વાપરવામાં આવતાં દેશી ઉકાળાને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને કોરો ને કાબુમાં લેવા માટે અકસીર ગણાવ્યા છે કોરોના અત્યારે રિકવરી મૂડમાં છે ત્યારે હજુ આ પરિસ્થિતિ વધુ માટે સામાજિક જાગૃતિ અને તકેદારી ની વિશેષ જવાબદારી દરેકને લાંબો સમય સુધી જાળવવાની છે તે ન ભૂલવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.