Abtak Media Google News

રાજભા ગઢવી, પરસોતમ પરી બાપુ, અનુભા ગઢવી, પુનશીભાઇ ગઢવી, રવિ આહિર ગજડીની સૂરાવલિ ક્રિષ્ના ગીર ગૌ ધામમાં ગુંજી ઉઠશે

સૌરાષ્ટ્રની ભૂમિ જ એક સંત સમા સમાજ શ્રેષ્ઠી હતા વાંક પરિવારના પરોપકારી વડીલ સ્વ. બાબુભાઇ રામસુરભાઇ વાંકે જીવન પર્યત સમાજની સેવા કરી હતી.

Advertisement

600 થી વધારે દિકરીઓનું ક્ધયાદાન કરનાર તેમજ અન્ન્ક્ષેત્ર થકી અન્નદાન મહાદાનના સૂત્રને સાર્થક કરનાર સ્વ. બાબુભાઇ વાંકાની દ્રિતીય પુણ્યતિથિ નીમીતે બુધવારે તા. 7 ના રોજ ક્રિષ્ના ગીર ગૌ ધામ, મવડી પાળ રોડ, ટીલાળા ચોક પાસે રાજકોટ ખાતે એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રઘ્ધાંજલી કાર્યક્રમમાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી પરસોતમપરી, અનુભા ગઢવી, પુનશીભાઇ ગઢવી, રવિ આહીર, સુરાવલી ગૌ ધામમાં ગુંજી ઉઠશે. આ કાર્યક્રમનું વિવિધ ચેનલો પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેવા વાંક પરિવારે અનુરોધ કર્યો છે.

સંતવાણીનું ‘અબતક’ ચેનલ-સોશિયલ મીડિયા પરં લાઇવ પ્રસારણ

ગૌસેવક સ્વ.બાબુભાઈ વાંકની દ્વિતીય પૂણ્યતિથિએ કાલે યોજાનારી ભવ્ય સંતવાણીનું ‘અબતક’ મીડિયાના પ્લેટફોર્મ ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.