Abtak Media Google News

હાલ ક્રિપટો કરન્સી માં ખૂબ સારું વળતર મળી રહ્યું છે સામે જોખમ પણ એટલું જ વધ્યું છે

ક્રિપટો કરન્સી નું ચલણ વિદેશની સાથોસાથ ભારત દેશમાં પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે રોકાણકારોમાં ક્રિપટો માટેનું આકર્ષણ પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે અત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ સટોડીયાઓ અને જુગારી માટે આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. કહેવાય છે કે શેરબજારમાં ટ્રેડિંગ કરવું સારું છે પરંતુ સટ્ટો રમવો ખરાબ છે ત્યારે ક્રિપટોકરન્સી મા વળતર ખૂબ જ સારું મળી રહ્યું છે પણ સામે જોખમ પણ સૌથી વધુ છે ત્યારે સરકાર જો આ વિનિમય ને માન્યતા આપશે તો એક અલગ જ દ્રશ્ય ઉદ્ભવીત થઈ શકે છે.

વિશ્વઆખાને ડિજિટલ કરન્સીનું ઘેલું લાગ્યું છે!! મોટા વળતર આપતી ડિજિટલ કરન્સીનું સામે જોખમ પણ એટલું છે. જો કે હાલ આ ક્રીપ્ટોકરન્સીએ રોકાણકારોને બલ્લે બલ્લે કરાવી દીધી છે. આ તકે ડિજિટલ કરન્સી માર્કેટમાં શિબા ઈનું નામની કરન્સીએ બલ્લે બલ્લે કરી દીધી છે.

મેમ વર્લ્ડની લેટેસ્ટ સેન્સેશન શિબા ઇનુ તાજેતરમાં ક્રિપ્ટો વર્લ્ડમાં ટોકન વિશે સૌથી વધુ ચર્ચામાં રહી છે. ત્યારે ગત બુધવારના રોજ   70 ટકાનો વધારો કર્યો છે. શિબા ઇનુએ 0.005848નું શિખર સર કર્યું છે.  શિબા ઇનુ, પ્રથમ વખત, ડોગેકોઇન કરતાં વધુ માર્કેટ કેપ ધરાવે છે. તે હવે વિપ્રો, એચસીએલ ટેક, એવન્યુ સુપરમાર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ અને એલએન્ડટી જેવા કેટલાક ભારતીય બ્લુચિપ શેરો કરતાં વધુ મૂલ્યવાન છે. જિયોટસ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના સહ-સ્થાપક અને CEO વિક્રમ સુબ્બુરાજે જણાવ્યું કે, ક્રિપ્ટો ચાહકોની વર્તુણુંક અને યુએસમાં રોબિનહૂડ પ્લેટફોર્મ પર શિબા ઇનુની યાદી બનાવવાની અરજીને કારણે તેના મૂલ્યમાં વધારાને વેગ મળ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા સાત દિવસમાં ક્રિપ્ટોકરન્સી 200 ટકાથી વધુ વધી છે. છેલ્લા ત્રણ મહિનામાં તેમાં 1,200 ટકાથી વધુનો વધારો થયો છે.

છેલ્લા ઘણા દિવસોમાં ૩૫ હજારથી વધુ લોકોએ શિબા ઈનું ખરીદયા છે. જે રોકાણ બાદ આ ક્રિપટોમાં 385 ટકાનો વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં માર્કેટ નો અભ્યાસ કરનાર લોકો દ્વારા રોકાણકારોને એ વાતની પણ સલાહ આપવામાં આવી રહી છે કે તેઓએ તેમનું તમામ રોકાણ એક જ જગ્યાએ નહીં પરંતુ વિવિધ જગ્યાઓ પર કરવું જોઈએ જેથી તેઓને નુકશાની પહોંચી થાય અને સામે વળતર પણ સારું મળી રહે.

હાલ ભારત દેશમાં દોઢ કરોડ જેટલા રોકાણકારો પોતાની રકમ ક્રિપટો માં રોકી રહ્યા છે જેની એસ્ટેટ હોલ્ડિંગ કૅપેસિટી આશરે ૧૫,૦૦૦ કરોડ સુધી પહોંચી છે. ત્યારે રોકાણકારો હાલ રિસ્ક નહીં પરંતુ વળતા ને ધ્યાને લઇ આ કરન્સીમાં જ રોકાણ કરી રહ્યા છે પરંતુ યોગ્ય રીતે જો નિર્ણય લેવામાં નહીં આવે તો રોકાણકારોને મારે નુકસાનીનો સામનો પણ કરવો પડશે બીજી તરફ સરકાર પણ ક્રિપટોને માન્યતા આપે તેવી આશા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.