Abtak Media Google News

બહેરામપૂરામાં ટિકિટ ફાળવણી મુદે થયા ’તા નારાજ

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદે કોંગ્રેસમાં ભડકો થયો હતો અને ધારાસભ્ય ખેડાવાલાએ રાજીનામું આપ્યું હતુ પણ પક્ષને નુકશાન ન થાય તે માટે રાજીનામું પરત ખેંચ્યું હોવાનું તેમણે જણાવ્યું હતુ.

Advertisement

અમદાવાદના બહેરામપૂરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટ ફાળવણી મુદે અસંતોષ ઉભો થયો હતો. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બપોરે રાજીનામું ધરી દેવાની જાહેરાત કરી હતી. સાંજે તેમણે રાજીનામું પણ આપી દેતા કોંગ્રેસના મોવડીઓએ ગંભીર નોંધ લઈ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. આગેવાનોની સમજાવટ બાદ ધારાસભ્ય ખેડાવાલાએ પક્ષને નુકશાન ન થાય એટલા માટે પોતાનું રાજીનામું ખેંચી લીધું હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.