Abtak Media Google News

પહેલાના જમાનામાં શાળા શરૂ થાય રિશેષ પડે કે પુરી થાયને છેલ્લે શાળા છુટતી વખતે શાળાની બેલનો રણકાર આસપાસ ગુંજી ઉઠતો, આજે તો પિરિયડ પઘ્ધતિ હોવાથી દર ચાલિસ મિનીટે ડોરબેલ કે ડંકો વાગતો શાળામાં જોવા મળે છે. અગાઉના છાત્રોને તથા શિક્ષકોને વગર પિરિયડે ઉત્સાહ રહેતો હતો. કોઇપણ બાળક એક વિષય – ચર્ચા કે પ્રવૃતિ, પ્રોજેકટમાં કલાકથી વધુ ઘ્યાન કેન્દ્રીત કરી શકતો નથી એમ મનોવિજ્ઞાન કહે છે ત્યારે તાસ પઘ્ધતિ તેના વિકાસ માટે અતિઆવશ્યક છે. વિદ્યાર્થીના રસ – રૂચિ – વલણો તાસ પઘ્ધતિમાં જળવાઇ રહે છે.

આજની શિક્ષણ વ્યવસ્થામાં કોલેજમાં પાંચ પિરિયડને હાઇસ્કુલ, પ્રાથમિકમાં ૮ પિરિયડની સિસ્ટમ અમલમાં છે. ૨૦૧૮ થી તો ધો.૩ તથા પ માં પણ તાસ પઘ્ધતિ અમલમાં આવી ગઇ છે. ધો. ૧-ર માં પ્રજ્ઞા વર્ગમાં પ્રવૃતિ સાથે જ્ઞાન યોજના અમલમાં હોવાથી બાળકો એકટીવીટી બેન્ક લર્નીગ આનંદોત્સવ સાથે ભણે છે. ગણિત- ગુજરાતી – પર્યાવરણ ધો.૧ થી ૩ માં ધો. ૪ થી પ હિન્દી – અંગ્રેજી વિષય અમલમાં આવે છે. તેથી વર્ગવાઇઝ વિષયો સાથેનું તાસ આયોજન અને વાર્ષિક પાઠોનું આયોજન જોવા મળે છે. ધો. ૬ થી ૮ માં સામાજીક વિજ્ઞાન – સંસ્કૃતને વિજ્ઞાન વિષયો ઉમેરાય છે.

વિષય વસ્તુના તાસ આયોજનમાં મઘ્યમાં અડધી કલાક રિસેસનો ગાળો હોય છે. જેથી બાળક અભ્યાસના ભારણમાંથી મુકત થઇને નાસ્તોને અન્ય ક્રિયાઓ કરી હળવો થઇને ભાઇબંધો સાથે મોજ મસ્તી કરતો તાજો માજો થઇને ફરી શિક્ષણ કાર્યમાં જોડાય છે. વિષયની સાથે વીકમાં એકાદ કે બેવાર સંગીત – ચિત્રને રમતગમત અને કોમ્પ્યુટર જેવા ઇત્તર વિષયોને સહઅભ્યાસિક પ્રવૃતિના ભાગરૂપે પિરિયડ પઘ્ધતિમાં સામેલ કરાય છે. દરેક વિષયો તેના નિષ્ણાંત ટીચરો દ્વારા છાત્રોને ભણાવાય છે. અલગ અલગ શિક્ષણ પઘ્ધતિને વિષય તાસમાં અમલ કરી સાથે ટીચીંગ – લનીંગ મટીરીયલ્સ અર્થાત શૈક્ષણિકરમકાનો પણ શિક્ષક સહારો લઇને સઘન શિક્ષણ છાત્રને આપે છે.

Computer Lab Class 500X500 1

જીસીઇઆરટી દ્વારા દરેક શાળા તાસ પઘ્ધતિનો અમલ કરે તેવો પરિપત્ર બહાર પાડયો છે પણ ઘણા જીલ્લાની કે શિક્ષણ સમિતિમાં પૂરતા શિક્ષકો ન હોવાથી તાસ પઘ્ધતિનો અમલ યોગ્ય રીતે થઇ શકતો નથી. પરિપત્ર મુજબ ધો. ૩ થી પ માં વર્ષ દરમ્યાન ૮૦૦ શૈક્ષણિક કલાકો પૈકી જે તે વિષય માટે તાસ (પિરિયડ) ની ચોકકસ સંખ્યા નકકી કરાય છે. જેમાં પ્રથમ સત્ર અને બીજા સત્ર માટે ૪૫-૪૫ તાસ રાખવાને પ્રાર્થના બાદ સળંગ ૭૦ મીનીટ તો એક તાસ પછી રીશેષ પાડવામાં આવે છે. રીશેષ ગાળામાં પણ પોતાના  વર્ગખંડના બાળકોનું ઘ્યાન રાખવાનું છે. બાળકોના સર્ંવાગી વિકાસમાં તેના કૌશલ્યોનો વિકાસ સૌથી મહત્વના છે. તાસ પઘ્ધતિમાં શિક્ષક અને વિઘાર્થી કંટાળતા નથી. કારણ કે ૪પ મિનિટ બાદ બીજો શિક્ષક ભણાવવા આવી જાય છે. બાળકો રસ સાથે ભણે છે. તેને શિક્ષણ નો ભાર લાગતો નથી. પહેલા આવુ હતું જ નહીં, એક જ શિક્ષક જ તમામ વિષયો ભણાવતો હતો. આજે કો સ્કુલ બેગમાં પણ જે વિષયોના પિરિયડ હોય તેના પુસ્તકો બાળકો લઇને જાય છે.

વર્ગ ખંડની શૈક્ષણિક પ્રક્રિયામાં વર્ગ ખંડનું શૈક્ષણિક કાર્ય સમૃઘ્ધ હોય તો વિઘાર્થીને તાસ પઘ્ધતિમાં જ ભણાવવો પડે, આમ કરવાથી ભણનાર અને ભણાવનાર ખુબજ સારૂ પડે છે ને ખાસ તો છાત્રો ના રસ – રૂચિ જળવાય રહે છે. શિક્ષણની પ્રક્રિયામાં અનેક રીતે અભ્યાસ ક્રમના હેતુ અને તેની અઘ્યયન નિષ્પતિઓ સમજાવી શકાય છે. પરંતુ બાળ મનોવિજ્ઞાન દ્રષ્ટિએ જોઇએ તો બાળક સતત એક કલાક એક વિષય અંગેનું જ્ઞાન પિરસો તો તે નિરસ પણ બની જાય છે. એટલે કે વિદ્યાર્થીને એકને એક વાત વારંવાર કરવાથી તેને ટોચર્ર થતું હોય એવું લાગે છે.

તાસ પઘ્ધતિનેે બદલે એક જ વિષય લાંબો સમય સુધી સતત ભણાવો તો વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, તેને નુકશાન પણ થાય છે. કારણ કે વિષય વસ્તુને છાત્ર લાંબો સમય યાદ રાખી શકતો નથી. લાંબો સમય એક જ વિષય ભણ-ભણ કરવાથી તેના બાળ માનસ પર અસર થાય છે. આવું શિક્ષણ તેને બોરીંગ કે વજનદાર લાગવા માંડે છે. જેને કારણે તે વિષય વસ્તુને જ ભૂલી જાય છે. અસરકાર વર્ગ વ્યવસ્થા માટે તાસ પઘ્ધતિ ઘણી સફળ થઇ છે, કારણ કે આમાં થોડા – થોડા સમયે વિષયો બદલાય એટલે છાત્રોના રસ- રૂચિ અનુસાર શિક્ષણ કાર્ય થતું હોય એમ લાગે છે.

જેવો તાસ બદલાય એટલે છાત્રોનું બીજા વિષય ઉપર ઘ્યાન કેન્દ્રીત થાય છે ને તે તેની તૈયારી પણ કરવા લાગે છે., કારણ કે તેને નવીન વસ્તુ શિખવા મળે છે તે તેમાં તેમાં રસ જાગે છે. આ બધાને કારણે છાત્રોમાં એકાગ્રતા વધે છે, જે લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતાને વધારે છે. એક ઉદાહરણ જોઇએ તો ગુજરાતી વિષય પછી વિજ્ઞાન પછી ગણિત – અંગ્રેજી સામાજીક વિજ્ઞાન ચિત્ર કલા વિગેરે વિષયોનો સમન્વય જુદી જુદી રીતે થતો હોવાથી છાત્રોને તે શિખવામાં રસ પડે છે. તાસ બદલે ત્યારે તેને વિચારવાનો થોડો સમય મળે છે, રેસ્ટ મળે છે જે ગાળામાં તે શિખવાના વિષય પરત્વે જાગૃત થઇ જાય છે. છાત્રો તેની તમામ ઇન્દ્રિયોને કામે લગાડવા તૈયાર થઇ જાય છે.

કલાસ રૂમ કલાઇમેટ અસરકારકબનાવવા માસ પઘ્ધતિ બેસ્ટ છે. એક ધારૂ ભણાવવા કરતા તુટક તુટકને થોડું થોડું અપાતું શિક્ષણ છાત્રોને ભારરુપે લાગતું નથી. આજે સૌ ભાર વગરના ભણતરની વાત કરે છે જેનો સાચો ઉકેલ તાસ પઘ્ધતિનો શ્રેષ્ઠ ઉપયોગ કે જેમાં તેની ગોઠવણ જ એવી હોય છે કે ક્રમશ: રીતે બદલાતા વિષયોમાં પણ છાત્રોનો રસ જળવાય રહે તે ખુબ જ જરુરી છે.

Biology

શિક્ષક સજજતાની જેમ અસરકારક વર્ગ વ્યવસ્થા પણ એટલી જ જરુરી છે. આજે તો ધો. ૩ થી એટલે નવ વર્ષના બાળકને આ સિસ્ટમથી શિક્ષણ અપાય છે. ઇત્તર પ્રવૃતિના વિષયો જે કારણે છાત્રોમાં પડેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહીત કરીને તેમાં નિપુણ બનાવવાનો પ્રયાસ શિક્ષક – શાળા – સંકુલો  મા-બાપો સાથે વિવિધ સંસ્થાઓ પણ પ્રયાસ કરી રહી છે જે સારી બાબત છે.

તાસ પઘ્ધતિનું આયોજન બાળક રસપૂર્વક જાતે ભણતો થાય તે માટે પણ અમલમાં મુકાયો છે. ઘરના વાતાવરણમાં પણ સ્વઅઘ્યયનનું બાળક પોતે અલગ અલગ વિષયનું ટાઇમ ટેબલ વાઇઝ દરરોજ જાતે કરે જ છે. જરુર છે માત્ર થોડા સહકારની વિજ્ઞાનના તાસમાં પ્રયોગશાળામાં વિવિધ પ્રયોગો કરવાની છાત્રોને ખુબ જ મઝા પડે છે. બળકોના રસ મુજબનું ટાઇમ ટેબલ જ તેનો સમે કલાએ વિકાસ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.