Abtak Media Google News

વિસાવદરના પીરોડ ગામે પાંચથી સાત વર્ષના એક દીપડાનું કુવામાં પડી જતા મોત થવા પામ્યું હતું, અને વનવિભાગ દ્વારા આ દીપડાનું પીએમ કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વન વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર તાલુકાના પિરોડ ગામે યોગેશભાઈ ગોંડલીયાના ખેતરમાં આવેલ કૂવામાં એક દિપડાની લાશ તરતી દેખાતા આ બાબતની વન વિભાગને જાણ કરાતા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દિપડાના મૃતદેહને બહાર કાઢી, પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો, બાદમાં મરણ જનાર દીપડાના વન વિભાગ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.