Abtak Media Google News

રાજકોટ

વસંત પંચમીના ત્યોહારથી પર્યાવરણમાં ઋતુઓના રાજાવસંતનું આગમન થાય છે. દરેક ઋતુ અનુસાર વાતાવરણમાં થોડી ઠંડી તો થોડી ગરમીનો અનુભવ થાય છે. દરેક ઋતુમાં આહાર વિહારમાં પણ ઘ્યાન રાખવું જોઇએ. આપણે ત્યાં કુલ છ ઋતુઓ છે.

આ છ ઋતુઓમાં ત્રણ-ત્રણ ઋતુઓના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક ભાગને ઉતરાયન અથવા આદાનકાલ અને બીજા ભાગને દક્ષિણાયાન અથવા વિસર્ગકાલ કહેવાય છે. શિશિર, વસંત અને ગ્રીષ્મ આ ત્રણ ઋતુઓને આદાનકાલ અને વર્ષા, શરદ, હેમંત ઋતુઓને વિર્ષગકાલ કહે છે.

પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાલ-જેઠ એ અનુક્રમે શિશિર, વસંત અને ગ્રિસ્મ ઋતુ છે. આ ઋતુ વિસર્ગકાલ ઋતુઓ છે. આ ઋતુમાં તાપ સખત પડે છે. આ પડે છે. આ તાપને લીધે મનુષ્યની કાર્યક્ષમતામાં ધટાડો આવે છે. આમ ઉતરાયનમાં મનુષ્યનું બળ ઓછું થાય છે.

અષાઢ- શ્રાવણ, ભાવરવો- આસો, કારતક-માગસર, અનુક્રમે વર્ષા, શરદ અને વસંત ઋતુ વિસર્ગકાલ ઋતુઓ છે. આ ઋતુમાં ગરમીનું પ્રમાણ ઓછું થાય અને ચંદ્રમાની શીતળતા વધેલી હોય છે. જેથી આ ઋતુઓને મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. જેથી આ ઋતુઓને મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. આ ઋતુ મનુષ્યને બળ પ્રદાન કરે છે.

અત્યારે આપણે ત્યાં ધીમે ધીમે વસંતઋતુનુ આગમન થઇ રહ્યું છે. આ ઋતુમાં ઠંડીમાં જમા થયેલો કફ વસંતની ઉષ્ણતાને લીધે કૃષિત થઇને અનેક જાતના કફજન્ય રોગો ઉત્પન્ન કરે છે.

વસંત ઋતુમાં કફ ઉત્પન્ન કરે તેવો ગળ્યો ખાટો, ખારો અને ભારે ચીકણો આહાર ત્યજવો જોઇએ., તુરો, કડવો, તીખો તથા પચવામાં હળવો આહાર લેવો જોઇએ., સવારે ઠંડીથી તો બપોરે તાપથી બચવું, દિવસે ઉઘવું નહી તથા વધુ આરામ ન કરવો., શ્રમ વધુ કરવો તથા વોકીંગ કે જોગીંગ કરવું, ઘી તથા તેલનો ઉપયોગ ઓછો કરવો.

કોઇપણ નવી ઋતુ શરુ થતી હોય અને ચાલુ ઋતુ પુરી થતી હોય તે છેલ્લા અને પહેલા પંદર દિવસ એટલે કે કુલ ૩૦ દિવસ આહારમાં ખાસ ઘ્યાન રાખવું જોઇએ.

આ કાળને ઋતુસંધિ કહે છે પંદર દિવસમાં જનારી ઋતુના આહાર વિહાર ધીમે ધીમે છોડતા જવું અને આવનારી ઋતુને અનુસાર આહાર-વિહારને સ્વીકારતા જવું.

જે રીતે ઋતુ અનુસાર આહાર-વિહારમાં ઘ્યાન રાખીએ એજ રીતે આપણી દૈનિક ક્રિયામાં કસરત અને યોગ-પ્રાણાયામનો પણ જો સમાવેશ કરીએ તો આપણને તેના લાભ વધારે મળે છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

વસંતઋતુમાં યોગ-પ્રાણાયામ

આ ઋતુમાં કફજન્ય રોગો, જેમ કે શરદી, ખાંસી, ગળામાં ખરાસ, તાવ જેવા રોગ થવાની સૌથી વધુ શકયતાઓ હોય છે. માટે આસન-પ્રાણાયામ પણ તેમાં લાભ આપે તેવા હોવા જોઇએ.

પ્રાણાયામ:-કપાલભાતી. ભસ્ત્રીકા, ઉજજયી તથા અનુલોમ-વિલોમ પ્રાણાયામ આ ઋતુ માટે શ્રેષ્ઠ છે. કેમ કે તે આપણી શ્ર્વસન તંત્રને મજબુત કરે છે. આ પ્રાણાયામ દ્વારા કફજન્ય રોગ થતા અટકે છે.

આસન:- ભુજંગાસન, સર્વાગાસન, વ્યાધ્રાસન, મત્સ્યાસન, સલભાસન તથા સૂર્યનમસ્કાર ઉપરોકત પ્રાણાયામ આસન રેગ્યુલર કરવાથી આ ઋતુમાં ફાયદો થાય છે.થોડુ આહાર-વિહારમાં ઘ્યાન રાખીએ અને યોગને જીવનમાં અપનાવીએ તો આપણી જીંદગી પણ વસંતઋતુ માફક ખીલી ઉઠે છે તો ચાલો આપણે પણ વસંતઋતુ માણી લઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.