Abtak Media Google News

સુરેન્દ્રનગર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દિપેનભાઇ દવેનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર ખાતે ભગવાન પરશુરામધામ લીંબડી દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં બાર કાઉન્સલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી દિપેનભાઇ દવેનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

Dsc 2984

આ પ્રસંગે અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે બાર કાઉન્સલ ઓફ ગુજરાતની ચુંટણીમાં એડવોકેટ શ્રી દિપેનભાઇ દવે સતત બીજી વાર ચુંટાયા છે અને શ્રી દિપેનભાઇ દવે બાર કાઉન્સલ ઓફ ગુજરાતના ચેરમેન બન્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યુવાવયે ચેરમેન બનનારશ્રી દિપેનભાઇ પ્રથમ ઝાલાવાડી છે. જે ઝાલાવાડનું ગૌરવ છે.

સુરેન્દ્રનગર ખાતે અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સત્કાર સમારંભમાં શ્રી પરશુરામધામ લીંબડી, ઔદિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર, ઔદિચ્ય બ્રહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર, સમસ્ત બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર, ઔ.સ. બ્રાહ્મણ જ્ઞાતિ અને નિલકંઠ મહાદેવ મંદિર જોરાવરનગર, ઔ.સ. બ્રાહ્મણ જ્ઞાતિ અન્નક્ષેત્ર ટ્રસ્ટ વઢવાણ, ઔ.સ. બ્રાહ્મણ જ્ઞાતિ વઢવાણ, શ્રીમાળી બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર, રાજગોર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર, મહિલા બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર, મહિલા બ્રહ્મ સમાજ વઢવાણ, સમસ્ત બ્રહ્મ સમાજ રતનપર, વાલમ બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર, તપોધન બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા બાર કાઉન્સલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી દિપેનભાઇ દવેનું સન્માન કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.