Abtak Media Google News

વીર આવો અમારી સાથે મંડળ દ્વારા નવકાર શિબિર

જશાપર ગામના આંગણે જૈનમુનિ પૂ.ધીરગુરૂ દેવની નેત્રાનંદકારી નિશ્રામાં રાજકોટના માતુશ્રી રમીલાબેન હરકિશનદાસ બેનાણી પરિવારના જીતુભાઇ તથા રીનાબેન બેનાણીનું સન્માન કરાયા બાદ મીનાબેન મહેશભાઇ અને જાગૃતિબેન જયદીપ બેનાણી, સરલાબેન, નીતાબેન, શૈલેષ માઉં, કમલ દોશી વગેરેના હસ્તે સ્ટીલના 4 ડબ્બાનો સેટ, સાકરનો પડો અને નવકાર ફ્રેમ 400 ઘરોમાં અર્પણ કરાતાં હર્ષોલ્લાસ છવાયો હતો.

1 2 8

જીવદયા પ્રતિક ચડાવાનો લાભ શાંતાબેન પોપટલાલ મણિયાર હ.મનહરભાઇએ લાભ લીધેલ. મનોજ કોટીચાએ અર્પણ કરેલ. મુંબઇ-સાયનના વીર આવો અમારી સાથે મંડળના બહેનોએ નવકાર મહિમા નાટિકા રજૂ કરેલ. 9 કરોડ જાપમાં અનેક ભાવિકોએ પ્રતિજ્ઞા કરેલ. ભાયંદર, નાલા સોપારાના બહેનોએ નવકાર ગીત રજૂ કરેલ. આ પ્રસંગે ઉપલેટા સંઘના પ્રમુખ પંકજભાઇ શેઠ, વિસાવદરના રાજુભાઇ કમાણી, શાંતિનાથ સંઘના સુભાષભાઇ પટેલ, પડધરીના જિતેશ પટેલ, મોરબી સંઘના ઉર્મિલાબેન મહેતા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. ગૌશાળામાં ગાયોને લાડુ, શેરડી વગેરે પ્રફુલાબેન કામદાર, પુષ્પાબેન દેસાઇ, વિપુલાબેન, બીનાબેન, કુસુમબેન, રશ્મિબેન અને રોહિત કામદાર વગેરેના હસ્તે ખવરાવવામાં આવેલ. મંડળ દ્વારા નવકાર હાઉઝી રાખેલ સૂત્ર સંચાલન જશવંત મણિયારે કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.