શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરામાં તેના માર્કેટ વિસ્તાર કુંકાવાવ વડીયા તથા બગસરા તાલુકાના કોઈપણ ખેડુત ખાતેદારનું અકસ્માતથી મૃત્યુ પામે તો મૃતકના પરિવારને બજાર સમિતિ તરફથી રૂ.૫૦૦૦૦ તેમના વારસદારને ચુકવવાનો બજાર સમિતિએ નિર્ણય લીધેલ છે.તાજેતરમાં કુંકાવાવ, વડીયા તાલુકાના જંગર ગામના ખેડુત ખાતેદાર કનુભાઈ રવજીભાઈ વસાણીનું રોડ અકસ્માતથી અવસાન થતા ખેડુત ખાતેદારના વારસદાર સવિતાબેન કનુભાઈ વસાણી ને રૂ. પચ્ચાસ હજાર બજાર સમિતિ તરફથી રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક અર્પણ કરતી વખતે રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ, બજાર સમિતિના ચેરમેન કાંતીભાઈ સતાસીયા તેમજ બજાર સમિતિના ડીરેકટર્સ પરશોતમભાઈ કુંનડીયા, ગોરધનભાઈ કાનાણી ધીરૂભાઈ વસાણી તથા જંગર મંડળીના પ્રમુખ ભગવાનભાઈ મોવલીયા ગામના આગેવાનો હાજર રહી અકસ્માતથી મૃત્યુ પામનાર ખેડુતના ઘરે જઈ તેના પરિવારને ચેક અર્પણ કર્યો હતો
Trending
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ