Abtak Media Google News

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરામાં તેના માર્કેટ વિસ્તાર કુંકાવાવ વડીયા તથા બગસરા તાલુકાના કોઈપણ ખેડુત ખાતેદારનું અકસ્માતથી મૃત્યુ પામે તો મૃતકના પરિવારને બજાર સમિતિ તરફથી રૂ.૫૦૦૦૦ તેમના વારસદારને ચુકવવાનો બજાર સમિતિએ નિર્ણય લીધેલ છે.તાજેતરમાં કુંકાવાવ, વડીયા તાલુકાના જંગર ગામના ખેડુત ખાતેદાર કનુભાઈ રવજીભાઈ વસાણીનું રોડ અકસ્માતથી અવસાન થતા ખેડુત ખાતેદારના વારસદાર સવિતાબેન કનુભાઈ વસાણી ને રૂ. પચ્ચાસ હજાર બજાર સમિતિ તરફથી રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક અર્પણ કરતી વખતે રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ, બજાર સમિતિના ચેરમેન કાંતીભાઈ સતાસીયા તેમજ બજાર સમિતિના ડીરેકટર્સ પરશોતમભાઈ કુંનડીયા, ગોરધનભાઈ કાનાણી ધીરૂભાઈ વસાણી તથા જંગર મંડળીના પ્રમુખ ભગવાનભાઈ મોવલીયા ગામના આગેવાનો હાજર રહી અકસ્માતથી મૃત્યુ પામનાર ખેડુતના ઘરે જઈ તેના પરિવારને ચેક અર્પણ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.