Abtak Media Google News

અનેક દાતાઓ તરફથી કાયમી મદદની જાહેરાત કરાઇ

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જરુરીયાતમંદ ૧૧૬ જેટલા લોકોની કાચી ખીચડી તેમજ એા એક લીટર સીંગતેલનું વિતરણ કરાયું હતું. જેનો પ્રારંભ દાતા દિનેશભાઇ જશુભાઇ પારી દ્વારા થયો હતો જેમાં પ્રમુખ સ્થાને રઘુવંશી અગ્રણી મનુભાઇ મીરાણી તેમજ અતિથિ વિશેષ તરીકે જે.ડી. ઉપાઘ્યાય, ડો. કેતનભાઇ ભીમાણી, ભાવનાબેન મેતા, રીટાબેન મેતા, દેવાંગભાઇ શેઠ, ધૈર્ય રાજદેવ અને ચંદુભાઇ ગોળવાળા ઉપસ્થિત રહ્યા હતા.

દર મહિનાના પહેલા રવિવારે તમામ લાભાર્થીઓને કાચી ખીચડી ઉપરાંત એક કિલો ખાંડની કાયમી સહાયની દીલીપભાઇ સોમૈયા તરફથી જાહેરાત થઇ છે. તેમજ નીલાબેન પંડીત તરફથી સીંગતેલ ઉપરાંત ઘોઘુલા તથા વંશ પંડયા તેમજ નીશાબેન પંડયા રાજુભાઇ ગાંધી તેમજ પ્રાગટય ગ્રુપ વાળા દીવ્યેશ રાયઠ્ઠા, દીલીપભાઇ સોમૈયા તરફથી ખીચડી વિતરણ માટે કાયમી મદદની જાહેરાત થઇ હતી.

કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી. કારીઆ, જીતુભાઇ દામાણી, પ્રવીણભાઇ ગેરીયા, પારુલબેન દાવડા, મનુભાઇ ટાંક, જગદીશભાઇ પંડિત, અજણભાઇ પટેલ, રત્નાબેન મહેશ્ર્વરી, મનીષભાઇ વસાણી, દિનેશભાઇ આડેસરા, દિનકરભાઇ રાજદેવ, રાજુભાઇ બુઘ્ધદેવ, રમેશભાઇ સરવૈયા, ભગવાનજીભાઇ મિસ્ત્રી સહતીનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.