સુરેન્દ્રનગર શહેરમાં આવેલા જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર ખાતે જન્માષ્ટમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને રાહત દરે મીઠાઇ વિતરણનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે દિવાળી હોય કે જન્માષ્ટમી હોય પ્રસંગોને અનુરૂપ દર વર્ષે રાહત દરે મધ્યમ વર્ગના પરિવારો માટેનું ભવ્ય આયોજન સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના મહામારીનો ભયંકર રોગચાળો પ્રસરી ગયો છે ત્યારે મંદિર ખાતે શુદ્ધતા સાથે અને સ્વચ્છતાની દેખરેખ હેઠળ તમામ પ્રકારની મીઠાઈઓ તેમજ ફરસાણ બનાવવામાં આવી રહ્યું છે. સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષી અને કોઇપણ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર મીઠાઈ અને ફરસાણનું વેચાણ હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ગ્રાહકોને રાહત દરે આપવામાં આવશે. મંદિર ખાતે રાહત દરે વેચાતી મીઠાઈનો લાભ દરેક પરિવારજનો લઈ શકે છે. પોતાના પરિવારને શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ મીઠાઈઓ ખરીદીને તહેવારની ઉજવણી કરી શકે છે.
Trending
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ