જો વૃદ્ધાવસ્થામાં તમારા પેરન્ટ્સ કે ગ્રાન્ડ પેરન્ટ્સને સૂવામાં તકલીફ થતી હોય તો તેમને ખાટી ચેરીનો જ્યૂસ પીવા આપો. એમ કરવાથી તેમના સૂવાના કલાકો અને ક્વોલિટી બંનેમાં સુધારો થશે. અમેરિકાની લ્યુસિયાના સ્ટેટ યુનિ. એગ્રિકલ્ચરના નિષ્ણાતોનું કહેવું છે કે પચાસ વર્ષથી મોટી વયના લોકોને જો અનિદ્રાની સમસ્યા હોય તો ખાટી ચેરીનો જ્યૂસ આપવો જોઇએ. એમ કરવાથી એકથી બે કલાકની ઊંઘ વધે છે. અભ્યાસ દરમ્યાન ચેરીનો જ્યૂસ પીનારા વૃદ્ધોએ સરેરાશ ૮૪ મિનિટની ઊંઘ વધુ લીધી હતી. મોટા ભાગે લોકો ધારી લે છે કે પાછલી વયે ઊંઘ ઘટી જાય છે અને એ માટે ડોક્ટરને કન્સલ્ટ કરવાની કંઇ જરૂર નથી, જોકે અનિદ્રાના કારણે બીજા અનેક રોગો પાછલી વયે શરીરમાં ઘર કરી જાય છે. અભ્યાસ દરમ્યાન પાર્ટિસિપન્ટ્સને સવારે ઊઠીને અથવા તો સૂવાના એક-બે કલાક પહેલાં સતત ૧૪ દિવસ ચેરીનો જ્યૂસ આપવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે ખાટા ફળમાં રહેલા પ્રોસાયાનિડિન નામના ઘટકના કારણે વૃદ્ધોમાં ઊંઘનો સમય અને ગુણવત્તા સુધરે છે.
Trending
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર
- ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે
- આજે કતલની રાત…મતદારોને મનાવવા મથામણ
- ICSE, ISCના 10મા અને 12માના પરિણામો જાહેર, જાણો શું આવ્યું પરિણામ?
- જયશ્રી રામ: ભાજપ તરફી પ્રચંડ મતદાન કરી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત બનાવવા નરેન્દ્રબાપુની અપિલ