Abtak Media Google News

કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાય આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા ડોર ટુ ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવેલ છે. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે, જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યક્તિ મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કરવામાં આવશે, લક્ષણો પરથી જરૂરી જણાય તો જે તે વ્યક્તિનો રીપોર્ટ પણ કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું. આ ટીમો દ્વારા તા. ૨૯-૦૪-૨૦૨૦ના રોજ જંગલેશ્વર સિવાય શહેરના રેલનગર, બજરંગવાડી, શિવશક્તિ કોલોની, પુનિતનગર, નારાયણનગર, અંબાજી કડવા, ન્યુ. પપૈયાવાડી, કેવડાવાડી, મવડીગામ, આશાપુરા સોસાયટી, મારૂતીનગર અને હરીઓમ પાર્ક વગેરે વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.