Abtak Media Google News

શિહોરમાં રેલવે ફાટક પાસે ધોળે દિવસે રહેણાંકી બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહીતના મુદામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટયા હતા. શિહોરમાં રેલવે ફાટક પાસે આવેલ બાલાજી કોમ્પ્લેક્ષમાં રહેતા મહેન્દ્રભાઇ ભાવસંગભાઇ પરમાર કામે ગયેલ અને તેમના પત્ની ઉસરડ ગામે ગયા હતા તે દરમ્યાન દિવસના સુમારે તેમના ઘરમાં કોઇ અજાણ્યા તસ્કરોએ ત્રાટકી ઘરમાં રાખેલ લોખંડના કબાટનો લોક તોડી કબાટમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ રકમ રૂ.રર હજાર મળી કુલ રૂપિયા ૭૮,૮૦૦/- ના મુદામાલની ચોરી કરી નાસી છુટયાની ફરીયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.