Abtak Media Google News

દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે રાત્રીનાં ગોપાષ્ટમી ઉત્સવ નિમિતે જગતમંદિર પરિસરને અગિયાર હજાર દીપોથી સુશોભીત કરવામાં આવ્યું હતુ. ભારતની પ્રથમ મુખ્ય સનાતન ધર્મી સંસ્થા શારદાપીઠ દ્વારા ગઈકાલે રાત્રીના જગતમંદિરમાં કારતક માસમાં દિપ દાનનું વિશેષ મહત્વ હોય જેથી અગિયાર હજાર દીપો પ્રગટાવી વિશેષ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. દ્વારકાવાસીઓએ બહોળી સંખ્યામાં દિપોત્સવમાંદિપ પ્રગટાવી હોંશભેર ભાગ લીધો હતો. અને ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.