Abtak Media Google News

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગઇકાલ તા. ૬ જુલાઇ જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પીતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિ નીમીતે નાગેશ્વર રોડ પર વિરમભા આશાભા ટ્રસ્ટ દ્વારા નંદી શાળા ગૌશાળા ખાતે દ્વારકાધીશ જગતમંદીરના શિખર પર નૂતન ઘ્વજારોહણ માટે પ.પૂ.૧૦૦૮ મહામંડલેશ્વર માં કનકેશ્ર્વરી દેવીજીની ઉ૫સ્થિતિમાં ઘ્વજાજીનું પુજન કર્યા બાદ માતાજીના વરદહસ્તે ગૌશાળાના શીલાપુજન કર્યા બાદ પબુભા માણેક દ્વારા શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં રહેવાનો લહાવો મળવા બદલ ઠાકોરજીનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કરી શ્રીકૃષ્ણના દ્વારિકાના રાજ વખતની દ્વારિકા જેમ સોનાની હતી તેમ ફરીવાર દ્વારકાના દ્વારિકાધીશ મંદીરને ફરીથી સુવર્ણ જડિત કરવા અંગે સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે કનકેશ્વરી દેવીએ પણ તેમને આ શુભસંકલ્પમાં સફળતા મળે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.