Abtak Media Google News

વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમીકો બહોળા પ્રમાણમાં ઇ-શ્રમ રજીસ્ટ્રેશન, આયુષ્યમાન કાર્ડ કઢાવી રહ્યાં છે

જામનગર મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત શ્રમયોગી કામદારો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં  ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે,  જે અંતર્ગત  વોર્ડ નંબર ત્રણમાં  કોર્પોરેટરો દ્વારા આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહોળા પ્રમાણમાં  વિસ્તારના રહેવાસીઓએ લાભ લીધો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઇ- શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાઇ રહ્યા છે,  ઇ- શ્રમ રજીસ્ટ્રેશન 16 થી 60 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવનાર કોઈપણ વ્યક્તિ કરાવી શકે છે. જે આવકવેરો ના ચૂકવતી હોય અને જેમનું પીએફ કપાતું ના હોય , તેવી પેઢી ના સંચાલકોએ ઈ – શ્રમ રજીસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર સાથે રાખવા આવશ્યક છે. ઈ-શ્રમ કાર્ડ  સરકાર  દ્વારા સમગ્ર ભારતમાં માન્ય રહેશે,  ઈ-શ્રમની નોંધણી થયેલ હોય તેવા શ્રમિકોને અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં સરકાર દ્વારા રૂ. 2 લાખની સહાય મળવા પાત્ર છે, તથા આંશિક અપંગતાના કિસ્સામાં:1 લાખ સુધી ની સહાય મળવા પાત્ર છે.તેમજ મહામારીના સમયમાં પણ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સહાય મેળવવામાં શ્રમિકોને સરળતા રહેશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ  ઈજનેરઓ તથા મ્યુનિ.સભ્યઓ  ના સંકલનથી તેમજ યૂસીડી,આઇસીડીએસ ,સ્લમ  તથા આરોગ્ય  શાખા દ્વારા પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં  તા. 31.3.2023 સુધી ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે.

જેમાં તા. 13  થી તા. 16  સુધી ગોકુલ નગર સતવારા સમાજની સામે બાળકોના સ્મશાન પાસે, તા. 17 થી 18 આંગણવાડી કેન્દ્ર મુરલીધર નગર શેરી નંબર- 7, મુક્તેશ્વર મહાદેવ મંદિર ની સામે,  તા. 20 થી 21 આંગણવાડી કેન્દ્ર પાણાખાણ વાછરાદાદા મંદિર અને આરોગ્ય કેન્દ્ર જકાતનાકા, આંગણવાડી કેન્દ્ર દિગ્જામ મિલની પાછળ વુલન મિલની ચાલ રૂમ નંબર 05, તા. 23 થી 24 આંગણવાડી કેન્દ્ર મહાપ્રભુજીની બેઠક નંદઘર, મહારાજા સોસાયટી, તારીખ 27 થી 31 આંગણવાડી કેન્દ્ર આણંદાબાવાનો ચકલો – નવી વાસ ગુજરાત ગેસ વાળી શેરી જામનગર ખાતે વિનામૂલ્યે ઇ- શ્રમ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે, તો આ તકે જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વસવાટ કરતા દરેક શ્રમિકો,શહેરી શેરી ફેરિયાઓ,સખી  મંડળના બહેનો,આંગણવાડી  કાર્યકરો,આશા વર્કર બહેનો ,કારખાના મા કામ કરતા શ્રમિકો તથા ઘરકામ  કરતા દરેક બહેનો ને  પોતાના નજીકના વોર્ડ  મા આંગણવાડી કેન્દ્ર પર જઈ ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કરાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.