Abtak Media Google News

ગુજરાતના પ્રજા-વત્સલ, સતત કર્મશીલ, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩મા જન્મદિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મુખ્યમંત્રીને  ભાવભરી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર લખ્યો છે .

 જાહેર જીવનમાં જન્મદિવસ એક વિશેષ જવાબદારીરૂપે આવે છે, જ્યાં સેવા અને સહકારની આહલેક જગાવી પ્રજાની પડખે ઊભા રહેવાનો હરહંમેશ પ્રયાસ હોય છે. પ્રત્યેક જન્મદિવસ જનતાની સેવા કરવાનો સંકલ્પ બની રહે. સમગ્ર રાજ્યની જનતાનાં સાથ-સહકાર સંગે રાજ્યને નવી ઊંચાઈએ લઈ જવાનાં લક્ષ સાથે પત્રમાં લાગણીઓ બદલ મુખ્યમંત્રીએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.