જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૬/૨/૨૦૧૯ને મંગળવારના રોજ સવારના ૧૦–૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, કલેકટર કચેરી સામે, આર. એન્ડ બી. કંમ્પાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓની ભરતી કરવા સારૂ ઉપસ્થિત રહેનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ–૮ પાસ થી ૧૨ પાસ, આઈ.ટી.આઈ. (કોપા) (ફકત મહિલા ઉમેદવાર), કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છું ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલમાં) સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. આ ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યા ન હોઈ, દિવ્યાંગ ઉમેદવારે હાજર રહેવું નહીં. તેમ, રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો