Abtak Media Google News

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૬//૨૦૧૯ને મંગળવારના રોજ સવારના ૧૦૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, કલેકટર કચેરી સામે, આર. એન્ડ બી. કંમ્પાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓની ભરતી કરવા સારૂ ઉપસ્થિત રહેનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ૮ પાસ થી ૧૨ પાસ, આઈ.ટી.આઈ. (કોપા) (ફકત મહિલા ઉમેદવાર), કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છું ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલમાં) સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. આ ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યા ન હોઈ, દિવ્યાંગ ઉમેદવારે હાજર રહેવું નહીં. તેમ, રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.