Abtak Media Google News

નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાના કારણે રીપેરીંગ કામગીરી કરવી વિજકર્મીઓ માટે બની પડકારરૂપ

સૌરાષ્ટ્ર- કચ્છમાં ૯૭ ફીડર બંધ, ૨૨૨૮ વીજપોલ જમીનદોસ્ત અને ૭૯ ટીસી ખોટવાયેલી હાલતમાં

ત્રણ દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદથી પીજીવીસીએલને જે મોટું નુકસાન થયું છે. તે હજુ યથાવત હાલતમાં છે. જેમાં જામનગરના ૧૭ જેટલા ગામો હજુ પણ અંધારપટ્ટમાં છે. વધુમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં ૯૭ ફીડર બંધ છે. ૨૨૨૮ વીજપોલ જમીનદોસ્ત હાલતમાં છે. તેમજ ૭૯ ટીસી ખોટવાયેલી હાલતમાં છે.

સૌરાષ્ટ્ર- કચ્છમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે પીજીવીસીએલને નુકસાન પહોંચ્યું હતું. હજુ પણ વીજકર્મીઓ આ નુકસાનને પહોંચી વળવા માટે ઊંધામાથે થઈને કામગીરીમાં જોતરાયેલા છે. જેમાં જામનગરના ૧૭ ગામોમાં હજુ પણ વીજપુરવઠો ખોરવાયેલ હાલતમાં છે. આ તમામ ગામોમાં પાણી ભરાયેલા હોવાથી સમારકામમાં અવરોધ ઉભો થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે કુલ એગ્રીકલ્ચરના ૯૭ ફીડર બંધ હાલતમાં છે. જેમાં જામનગરના ૩૭, ભુજના ૩૯ અને અંજારના ૨૧ફીડરનો સમાવેશ થાય છે. આ સાથે કુલ ૨૨૨૮ વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં રાજકોટ રૂરલના ૨૨૬, પોરબંદરના ૨૨૨, જૂનાગઢના ૧૦૧, જામનગરના ૧૫૭૭ અને ભુજના ૧૦૨ વીજપોલનો સમાવેશ થાય છે. કુલ ૭૯ વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં રાજકોટ રૂરલના ૧૫, પોરબંદરના ૧૪, જામનગરના ૫૦ મળી કુલ ૭૯ ટીસીનો સમાવેશ થાય છે. આમ વિજતંત્રને થયેલુ ભારે નુકસાન હજુ પણ યથાવત હાલતમાં છે. જેથી વીજકર્મીઓમાં દોડધામ મચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.