Abtak Media Google News

ગધેથડ ખાતે પૂજય લાલબાપુના ૨૧ માસના એકાંત અનુષ્ઠાનના મૂખ્યમંત્રીએ વધામણાં કર્યા

ધાર્મિક રાજનેતા તરીકેની પોતાની છબિ વધુ ઉજ્જવળ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપલેટા તાલુકાના ગધેડ ગાયત્રી આશ્રમ ખાતે સંતશ્રી લાલબાપુના ૨૧ માસના એકાંતવાસના અનુષ્ઠાનના વધામણાં કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્તિ ભાવિકગણને સંબોધતા મુખ્યમંત્રીએ તેમના ઉરનો આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે શસ્ત્ર મુકીને શાનો સા પકડતો કોઇપણ માનવી પૂજનીય છે. સંતો અને શુરાની ભૂમિ ગણાતો સૌરાષ્ટ્ર પ્રદેશ આવા સંતોના ભક્તિકાર્યી આજે વધુ દૈદિપ્યમાન અને ઉજ્જવળ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

1ગુજરાતની જનતાના કલ્યાણ માટે મુખ્યમંત્રએ ઉપસ્તિોને એવો પડકાર ઝીલવા સર્મ બનવા અનુરોધ કર્યો હતો કે ધર્મની સંકૂચિત વ્યાખ્યા વિશાળ બનાવીને તેમાં પ્રેમ-નીતિ-સત્યનું ઉમેરણ કરવું જોઇએ જેના કી રાજયનો પ્રત્યકે માનવી આધ્યાત્મિક ઉંચાઇ સર કરી શકે .

ગઘેડના લાલબાપુની મોબાઇલ અને ઠાઠ વગરના સંત તરીકેની મુખ્યમંત્રીએ આપેલી ઓળખાણને ઉપસ્તિ જનતાએ ભાવપૂર્વક વધાવી લીધી હતી ત્યારે સમગ્ર રાજયને ગાંધી અને ગુજરાતના વારસદાર તરીકે વ્યસન મૂક્ત કરવા માટે રાજય સરકારે લીધેલા પગલાંની મુખ્યમંત્રીએ સિલસીલાબંધ વિગતો ટાંકી હતી. અને તમામ ભકતોને વ્યસન મુકત બનવા અનુરોધ કર્યો હતો.

5
શ્રી ગાયત્રી આશ્રમનાં લાલબાપૂએ ૨૧ માસના એકાંતવાસ અનુષ્ઠાન પૂર્ણ કર્યા બાદ સાધના કુટીરમાથી  બહાર પધારી ઉપસ્તિ ભાવિકજનોને મા ગાયત્રીમાતા સર્વ ભકતજનોનું કલ્યાણ કરે અને સુખશાંતી પ્રાપ્ત થય તેવા આશિર્વચન પાઠવ્યાં હતા.

પૂ. લાલાબાપૂએ એકાંત વાસનો ઉદેશ જણાવતાં કહયું હતું કે ૫૨૧ કુંડી યજ્ઞ કર્યો તે દરમિયાન જાણ્યે અજાણ્યે અનેક જીવજંતુઓના મૃત્યુ યા હોય તેના મોર્ક્ષો તેમજ દાતાઓએ અર્પણ કરેલું દાનનું ઋણ ચુકવવા માટે અને સર્વજન કલ્યાણ ર્એ અનુષ્ઠાન પર ઉતરી તેમનું  ઋણ ચૂકવવાનો નાનકડો પ્રયાસ કરેલો છે. બાપુએ ઉપસ્તિ વિશાળ સંખ્યામાં ભાવિકજનોને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવું જોઇએ અને ધર્મનું આચરણ કરવું જોઇએ એજ દરેક વ્યક્તિનો સાચો નાગરિક ધર્મ છે.

4સમારોહમાં લાલબાપુએ વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકારે વેણું ડેમ-૨ ખાતે માછીમારી પર તાત્કાલીક અસરી પ્રતિબંધ મુકેલ છે. તે બદલ સમગ્ર રાજય સરકાર અભિનંદનીય છે.

રાજયનાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી ઉપલેટા તાલુકાનાં શ્રી ગાયત્રી આશ્રમ ખાતે શ્રી ગાયત્રી આશ્રમ સેવા સમિતિ આયોજિત ધર્મોત્સવ ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્તિ રહયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સો રાજયનાં મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્તિ રહયા હતાં

3મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા મહાનુભાવો વગેરેએ ગાયત્રી મંદીર ખાતે શ્રધ્ધા ભાવપૂર્ણ દર્શન કર્યા હતાં આ પ્રસંગે પુજયશ્રી લાલબાપુ, શ્રી રાજુભગત તા શ્રી દોલુભગત ઉપસ્તિ રહયા હતાં. આ તકે ધર્મસ્ળ ખાતે ફોટોગ્રાફર પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવેલ રૂખડ ગહન ગુફાઓની ગુંજ વિષયક પ્રદર્શનની મુલાકાત લઇને વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી.

આ પ્રસંગે શ્રી ગાયત્રી આશ્રમનાં પૂજય લાલબાપુ અને તેમનાં શિષ્ય પૂજય રાજુ ભગત ૨૧ મહિનાનાં અનુષ્ઠાન કરીને સાધના ખંડ માંથી બહાર પધારેલ જેઓનું આ તકે ઉપસ્થિત હજારો ભાવિકો કિ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

6ધર્મસભામાં રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂજય લાલબાપૂ તા ઉપસ્તિ મહાનુભાવોનુ સમાજનાં શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ તા સંસનાં હોદેદારો દ્વારા મોમેન્ટો અર્પણ કરી ખુબજ ગૌરવપુર્ણ સન્માન કરવામાં આવ્યુ હતું.સમારોહમાં  ધારાસભ્યો ગોવીંદભાઇ પટેલ, ગીતાબા જાડેજા,લલીતભાઇ વસોયા  પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા અને હરિભાઇ પટેલ, રાજકોટ ડેરીના ચેરમેન ગોવીંદભાઇ રાણપરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે. સખિયા, કલેકટર ડો. વિક્રાંત પાંડે,રાજકોટ ગ્રામ્યના પોલિસ અધિક્ષક અંતરિપ સુદ, અગ્રણીઓ નીતિન ભારદ્વાજ, ભાનુભાઇ મહેતા, અંજલીબેન રૂપાણી જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા,પ્રાંત અધિકારીશ્રી તુષાર જોષી, વિવિધ ધાર્મિક સંસઓના સંતો અને મહંતો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્તિ રહયા હતાં.કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચનમાં દિલિપભાઇ રાડીયાએ ગાયત્રી આશ્રમની સેવાકિય પ્રવૃતિ અને ધર્મોત્સવનાં આયોજનની અંગેની માહિતી પુરી પાડી હતી જયારે  આભારવિધિ નીલેષભાઇ ગોધાણી કરી હતી.

ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે સ્વાગત અભિવંદના અને ધર્મસભા સંપન્ન  લાખો ભાવિકોએ ધર્મ-સત્સંગનો લાભ ઉઠાવ્યો

દરેક વ્યકતિએ પોતાના ધર્મનું પાલન અને આચરણ કરવું જોઇએ: પૂ.લાલબાપુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.