Abtak Media Google News

રામભાઇ જેઠાભાઇ બોરીચાની પાંચમી પુણ્રયતિથિએ બોરીચા પરિવાર દ્વારા સેવાયજ્ઞનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા

મવડી રોડ જયોતિ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી. ખાતે બોરીચા વૈભવભાઇ રાજુભાઇના દાદા સ્વ. રામભાઇ જેઠાભાઇ બોરીચાની પાંચમી પુણ્યતિથિ નીમીતે ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન જુનાગઢ મહાનગરપાલીકા તથા સુરેન્દ્રનગર લોકસભાની ચુંટણીમાં ભાજપને ભવ્ય  સફળતા અપાવનાર નીતીનભાઇ ભારદ્વાજ રાજકોટના લોકપ્રિય મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સતાધારા આશ્રમના સંત પુજય શાંતુરામ બાપુ તેમજ રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના વરદ હસ્તે તાવના ઉકાળા તુલશી તથા પીપળાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમા રાજુભાઇ બોરીચા, વિનુભાઇ બોરીચા, કિશોરભાઇ બોરીચા, પ્રવીણભાઇ પાઘડાર, કનાભાઇ ગમારા:, સંજયભાઇ બોરીચા, અમિતભાઇ બોરીચા, રાકેશભાઇ રાદડીયા, વૈશાલીબેન સોરઠીયા, હેમીબેન ભલસોડ, કાંતીભાઇ ભંડેરી, દાસભાઇ કમાણી, કાળુભાઇ ભુત, કમલેશભાઇ મેસવાણીયા વગેરેએ પ્રેરક હાજરી આપી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વૈભવભાઇ બોરીચા સાથે દિનેશકુમાર ડાગર, રવિકુમાર વાંક, ચેતનાઇ બોરીચા, જીજ્ઞેશભાઇ બોરીચા, અમરીશભાઇ બસીયા, રાહુલભાઇ બોરીચા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે પપ૦ (સાડા પાંચસો) લીટર ઉકાળો સતાધારા આશ્રમ મોટી નાગાજર ના સંત શાંતુરામ બાપુ દ્વારા લાઇવ બનાવવામાં આવ્યો હતો અને રપ૦૦ થી ૩૦૦૦ લોકોએ ઉકાળાાનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.