Abtak Media Google News

આજે ભારત બંધના એલાનને પગલે ગઈકાલે અનુ.જાતિ અને અનુ. જનજાતિ વર્ગના લોકો દ્વારા આપવામાં આવેલા ઉપલેટા બંધના એલાનને સંપૂર્ણ નિષ્ફળતા મળી હતી. અનુ.જાતિ અને અનુ.જનજાતિના વર્ગના લોકો દ્વારા ભારત બંધના એલાન અંતર્ગત ઉપલેટા બંધ એલાન સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આપવામાં આવ્યું હતું પણ આજે સવારે શહેરમાં બંધની કોઈ અસર જોવા મળેલ નહોતી. શહેરના રાજમાર્ગો, ભાદર રોડ, નટવર રોડ, સોની બજાર સહિતના વિસ્તારો રાબેતા મુજબ ખુલ્લા રહેવા પામ્યા હતા. શહેરમાં બંધની કોઈ અસર જોવા મળી નહોતી. આજે ભારત બંધના એલાનને પગલે શહેરભરમાં પી.આઈ અલ્પેશ પટેલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં શાંતીનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.