આજે ભારત બંધના એલાનને પગલે ગઈકાલે અનુ.જાતિ અને અનુ. જનજાતિ વર્ગના લોકો દ્વારા આપવામાં આવેલા ઉપલેટા બંધના એલાનને સંપૂર્ણ નિષ્ફળતા મળી હતી. અનુ.જાતિ અને અનુ.જનજાતિના વર્ગના લોકો દ્વારા ભારત બંધના એલાન અંતર્ગત ઉપલેટા બંધ એલાન સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આપવામાં આવ્યું હતું પણ આજે સવારે શહેરમાં બંધની કોઈ અસર જોવા મળેલ નહોતી. શહેરના રાજમાર્ગો, ભાદર રોડ, નટવર રોડ, સોની બજાર સહિતના વિસ્તારો રાબેતા મુજબ ખુલ્લા રહેવા પામ્યા હતા. શહેરમાં બંધની કોઈ અસર જોવા મળી નહોતી. આજે ભારત બંધના એલાનને પગલે શહેરભરમાં પી.આઈ અલ્પેશ પટેલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં શાંતીનો માહોલ જોવા મળ્યો હતો.
Trending
- જિલ્લામાં હાઈવે પરના અનઅધિકૃત હોર્ડિંગ્સ અને દબાણો હટાવવા કલેકટરની સૂચના
- ફક્ત 3 સામગ્રી સાથે ખૂબ જ સરળ રેસિપીથી ઘરે જ બનાવો કેરીનો જામ
- આધાર કેન્દ્રોની બહાર મંડપ નખાયા પાણીની પણ વ્યવસ્થા: કૂલર મૂકાશે
- ઉનાળામાં ઠંડક મેળવવા ઘરે જ બનાવો ચંદન નાઈટક્રીમ
- કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના 100 વિદ્યાર્થીઓહેમખેમ પરત લાવવા રાજય સરકારની કવાયત
- વરસાદની મજા માણવા માંગતા હોવ તો ગુજરાતના આ 5 પર્યટન સ્થળો લાજવાબ છે…
- સૌરાષ્ટ્રમાં યમરાજના ધામા : ફક્ત 24 કલાકમાં 16 લોકોના આકસ્મિક મોત
- સતત ત્રણ મેચમાં નિષ્ફળ રહેલી સનરાઈઝર્સની ઓપનિંગ જોડી ખરા સમયે રંગ લઈ આવશે?