Abtak Media Google News

કેશોદના મોવાણા ગામના પરિવારને એક વર્ષથી વીજ કનેકશન ન મળતા ડે. કલેકટર અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં કેશોદ તાલુકાના મોવાણા ગામના ખેડુત શૈલેષભાઈ મકવાણા પોતાના ખેતરનાં વિજ કનેકશન માટે એક વર્ષથી પીજીવીસીએલની કચેરીએ ધકકા ખાય છે. છેલ્લા ચાર માસથી ઉપવાસ પર બેઠા છે. અને તાજેતરમાં પીજીવીસીએલ કચેરી મુકામે આત્મ વિલોપનની ચીમકી આપી છે. તેમના પત્નીએ આવેદન પત્ર આપી માંગણી કરી છે કે મારા પતિ હાલમાં લાપતા છે માટે તેમની શોધખોળ અને વિજ કનેકશન આપવામાં નહી આવે તો પરિવાર સાથે ગાંધીનગર વિધાનસભાની સામે ઉપવાસ ઉપર બેસી ન્યાય માંગીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.