Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લાના જમીન ક્ષેત્રમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

કોર્પોરેટ કંપની દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપતા જણાવાયું હતું કે, એક વખત ખેતીની જમીન વેંચાણ કરી દીધા બાદ આવી જમીન પરત મેળવવા માટે ખેડૂતો હક્કદાર રહેતા ની. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ કંપનીઓને ખેતી માટે પોતાની ખેતીની જમીન એકવાર વેચ્યા પછી, ખેડૂતોને સોદાના વેચાણ અને માગને રદ કરવાનો અધિકાર નથી.

Advertisement

ખેતીની જમીનના વેચાણ પર પ્રશ્ન ઉઠાવી ખેડૂતોના પેચીદા પ્રશ્ર્ને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.એસ. રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ એમ પંચોલીની ડિવિઝન બેંચે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ચત્રિસા ગામના ૨૦ ખેડૂતો દ્વારા દાખલ કરેલી અપીલને ફગાવી દીધી હતી.

આ કિસ્સામાં, શિવાગંગા ફાર્મ્સ પ્રા.લિ. નવેમ્બર ૨૦૦૯ માં ખેડૂતો પાસેથી ખેતીની જમીન ખરીદી હતી અને  વિકસાવવા અને આધુનિક ટેકનીકો સાથે ખેતી કરવા નક્કી કર્યું હતું. જો કે આ મામલે  આ વેચાણને મામલતદારે નોટિસ ફટકારી બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ એક્ટની કલમ ૬૩ ના ભંગ માટે સુઓ મોટુ કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે તારણ કાઢ્યું હતું કે કંપની એક ખેડૂત ન હતી અને તેથી જમીન વેચાણ કાયદાનું ઉલ્લંઘન હતું. જેી ઓક્ટોબર ૨૦૧૪ માં વેચાણની કાર્યવાહીને અમાન્ય ગણાવી હતી કારણ કે કંપની ખેડૂત ન હતી.

વધુમાં મામલતદારે આ ખેતીની જમીન જપ્ત કરી ખાલસા હુકમ કર્યો હતો  જેને કંપનીએ ડેપ્યુટી કલેક્ટર સમક્ષ પડકાર્યો હતો, પરંતુ તેની અપીલ જુલાઈ ૨૦૧૫માં નકારી કાઢવામાં આવી હતી. બાદમાં આ કેસમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલે સપ્ટેમ્બર ૨૦૧૬માં જમીનના વેચાણને રદ્દ કરવા માટે મહેસૂલ સત્તાવાળાઓના નિર્ણયો રદ કર્યા હતા અને  ટ્રિબ્યુનલે વેચાણને સમર્થન આપ્યુ હતું.

ખેડૂતોએ વેચાણ રદ કરવાની માગણી કરીને હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે એવી દલીલ કરી હતી કે કંપનીએ વચન આપ્યું હતું કે તે સ્થાનિક લોકો માટે નોકરી આપશે, પરંતુ ખેડૂતોના પરિવારોના જેઓ તેમનાં ખેતરો માટે ખેડૂતોની જમીન વેચી દીધી હતી, પરંતુ કંપની દ્વારા વચન સાચવવામાં આવ્યું ન હતું. આ કેસમાં હાઈકોર્ટની સીંગલ બેંચે ખેડૂતોની ફરિયાદ ફગાવી દીધી હતી.

બાદમાં ખેડૂતોએ ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરી અને દલીલ કરી હતી કે તેઓ ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહીની પાર્ટી છે અને તેથી આ કેસ ફાઇલ કરવા માટેનું સ્થાન છે પરંતુ ડિવિઝન બેન્ચે એવું પણ જણાવ્યું હતું કે ખેડૂતો જમીનના વેચાણ અંગે પ્રશ્નાર્થ કરવા માટે હકદાર નથી. વધુમાં, તેઓએ સિવિલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કર્યો ન હોવાનું પણ કોર્ટે જણાવ્યું હતું. હાઈકોર્ટે  પહેલા કંપનીએ ગુજરાત સરકાર દ્વારા કૃષિ જમીન ખરીદવા માટે કોર્પોરેટ કોર્પોરેશનને મંજૂરી આપવાના જાહેરનામાનો ઉલ્લેખ કર્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.