Abtak Media Google News

ભારતમાંથી પધારેલા કથાકારો વિદ્યાનો દ્વારા વ્યાસપીઠની સંત મહાઆરતી

ઓખા મંડળમાં નગેશ્ર્વર મહાદેવના સાનિઘ્યમાં પબુભા વિરમભા માણેક પરીવાર દ્વારા શ્રાવણ માસના અવસરે પંચ દિવ્યોતિદિવ્ય ધર્મ મહોત્સવના પ્રથમ શિવમહાપુરાણ કથાની સમાપ્તી બાદ પંચ દિવસીય સદગુરુ સારસ્વત સમારોહની પૂર્ણાહુતી સમારોહ યોજવામાં આવ્યો હતો.

જેમાં ભારતભરમાંથી પધારેલા કથાકારો વિઘ્વાનો દ્વારા કૃષ્ણ ભગવાનની દ્વારકાધીશ પર ૪૦ મીનીટનું વકતવ્ય પાંચ દિવસ સુધી રાખેલ આજે છેલ્લા દિવસે અહીં તમામ કથાકાર વિઘ્વાનોએ સાથે મળી વ્યાસપીઠની સંત મહાઆરતી યોજવામાં આવી હતી.

જેમાં કનકેશ્ર્વરીદેવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આ ધર્મોત્સવના મુખ્ય યજમાન પબુભા વિરમભા માણેકે તમામ સંતોના આશીર્વાદ લઈ આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.