Abtak Media Google News

આગ લાગતા અફરાતફરી મચી જવા પામી

અમરેલી બસ સ્ટેન્ડ રોડ માણેકપરા વિસ્તાર માં આવેલ ગણેશ કોમ્પલેક્ષમાં સહારા કો. ઓપ્રેટિવ લિમિટેડની ઓફિસમાં  સવારે 10:30 ની આજુબાજુ  લાગી હતી આગ. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જણાયું નથી પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણ મળી રહ્યું છે તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાયર બ્રગેડ પોલીસ ઘટનસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે આગ લાગતા લોકોના ટોળાં એકત્ર થઇ ગયા.

આગમાં પૂરેપૂરો સ્ટેશનરી રૂમ બળીને ખાખ થઈ ગયેલો છે આગમાં કેટલી નુકસાની થઈ છે તે હજી ચોક્કસ જાણવા મળ્યું નથી

આ આગની ઘટનામાં લોકોના કહેવા પ્રમાણે સહારા finance ઓફિસ અમરેલી ના મેનેજર દર્શન જીતુભાઈ જોશી ઉંમર વર્ષ ૪૨ થી ૪૫ જેઓ અંદર હજાર હતા અને તે ગંભીર રીતે દાઝી ગયેલા જેમને તેઓને 108 મારફત CIVIL Hospital ખાતે ખસેડાયા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવેલી છે તેઓ ૮૦ થી ૯૦ ટકા દાજી ગયાં નું અનુમાન.

આગ લાગવા પાછળ અને દર્શનભાઈ જોશી ના દાજવાનું ચોક્કસ કારણ એફએસએલ રિપોર્ટ બાદ જ જાણવા મળી શકે

જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તે બિલ્ડિંગમાં પ્રશાસન દ્વારા 3 જાન્યુઆરી 2022 ના રોજ એક નોટિસ પણ લગાવવામાં આવી હતી કે આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ના કોઈ ઉપકરણો નથી જે તાત્કાલિક લગાવવામાં આવે એન.ઓ.સી મેળવી લેવા માં આવે સાથે સાથે બિલ્ડિંગમાં વાયરીંગ પણ ખુલ્લો જોવા મળ્યું હતું જે ભવિષ્યમાં અઘટિત બનાવો બનવા માટે પૂરતા પુરાવા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.