Abtak Media Google News

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસટી બસ ડ્રાઈવર અને કંડકટરોને આગ લાગે ત્યારે પ્રાથમિક ધોરણે ક્યાં પગલાં લેવા, બચાવ અને રાહત કર્યા વગેરે વિષે ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં RMTS, 1 AIMS, 1 BRTS સહિત પરિવાહન સેવા પૂરી પાડવામાં આવે છે. ત્યારે પરિવહન દરમ્યાન જો કોઈ આગનો બનાવ બને તો આ સમયે કેવી રીતે રાહત અને બચાવ કામગીરી કરવી તે વિષે ફાયર વિભાગ દ્વારા તાલીમ અને મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. “આજી ઈલેક્ટ્રીક બસ ડેપો” ખાતે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સુપરવાઈઝરી સ્ટાફ, કર્મચારી, બસ ડ્રાઈવર તથા બસ કંડકટર તથા ૧૫૦ થી વધુ સ્ટાફને નીચેના મુદાઓ અંગે સવિસ્તૃત તાલીમ આપવામાં આવેલ.

આકસ્માતના સંજોગોમાંમાં લેવાના થતા પગલા.

આગ-આપતી સમયે લેવાના થતા પગલા.

સામાન્ય પરિવહનના સેવાના સમયે અકસ્માત આગજની નિવારણ અંગે તકેદારી ના ભાગરુપે ધ્યાનમાં રાખવાની થતી બાબતો.

જુદાજુદા પ્રકારના અગ્નિશમન ડીવાઈસોના ઉપયોગ અને સમજણ.

આપત્તીના સમયે શહેરના ફાયરબ્રિગેડ, આરોગ્ય વિગેરે સેવાઓ સાથે સંકલનની સમજ.

આપત્તીના સમયે ઘવાયેલા-ઈજા પામેલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અંગેનું નિર્દેશન.

બસ ડેપો પર ઉપલબ્ધ અગ્નિશમન ડીવાઈસીસ તથા ફાયર હાઈડ્રન્ટનો આપત્તીના સમયે અસરકારક ઉપયોગ.
આ તાલીમનું આયોજન રાજકોટ રાજપથ લી. ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર આશીષકુમાર, IASના અધ્યક્ષ સ્થાને, ઇ.ચા. જનરલ મેનેજર જયેશ કુકડીયા, ઇ.ચા. આસી. કમિશનર જસ્મીન રાઠોડ તથા ઇ.ચા. સિટી એન્જીનીયર કે. પી. ડેથરીયાના સુપરવિઝન હેઠળ રાખવામા આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.