Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના વધુ ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં આજે વધુ છ કોરોનાના કેસ નોંધાયા છે. તમામ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. આજે નોંધાયેલા કેસો ધ્રાંગધ્રા, પાટડી અને ચુડા તાલુકામાં છે. જેમા ધ્રાંગધ્રાના ઈસદ્રા, કોંઢ અને જેગડવા ગામમાં એક-એક કેસ, પાટડીના અખિયાણા ગામમાં એક કેસ, ચુડા તાલુકાના બલાળા ગામે બે કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર કોરોના ના આજે પાંચ લોકો ને રજા આપવા માં આવી : અત્યાર સુધી માં નવ લોકો ને રજા આપીજિલ્લા માં ૨૧ લોકો સારવાર લઈ રહા છે.જિલ્લામાં વધતા કોરોનાના કેસ સામે ૯ દર્દીઓ સાજા થઈ પરત ફર્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.