Abtak Media Google News

મટન-મચ્છીની દુકાને એકઠા થતાં કુતરા કરડતા હોવાથી સમજાવવા જતા થયેલા ઝઘડામાં યુવાનની લોથ ઢળી: હુમલાખોર સહિત બે ઘવાયા

કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાનજી મંદિર પાછળ સોખડા રોડ પર ભરવાડ યુવાનને નોનવેજના ધંધાર્થી સહિત ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. મટન-મચ્છીની દુકાને એકઠાં થતાં કુતરા કરડતા હોવા અંગે થયેલી બોચાલાલીના કારણે થયેલા હુમલા યુવાનની હત્યા થતા ભરવાડ પરિવાર દ્વારા વળતો હુમલો કરતા બંને પક્ષે એક એક ઘવાયા છે. પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોખડા ગામે રહેતા છગનભાઇ ઘેલાભાઇ ઝાપડા નામના 28 વર્ષના ભરવાડ યુવાન પર માલીયાસણ ગામના અસલમ ફકીર, કાદરશા ફકીર, ગુલામ હુસેન ફકરી, સાત હનુમાન મંદિર પાછળ સોખડા રોડ પર રહેતા રવિ મોહન પરમાર અને ધર્મેશ રમેશ પરમાર નામના શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કર્યાની મૃતકના ભાઇ મોતભાઇ ઘેલાભાઇ ઉર્ફે ગેલાભાઇ ઝાપડાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માલીયાસણના અસલમ ફકીર અને કાદશા ફકીરને સોખડા રોડ પર મટન-મચ્છીની દુકાન હોવાથી તેઓ કુતરાને નોનવેજ ખવડાવી એકઠાં કરતા હોવાથી કુતરા રાહદારીઓને કરડતા હોવાથી કુતરા ભેગા ન કરવા અંગે સમજાવતા બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે છરીથી હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદ નોંધાઇ છે.

અસલમ ફકીર, કાદર ફકીર, ગુલામ ફકીર, રવિ પરમાર અને ધર્મેશ પરમાર નામના શખ્સોએ છગનભાઇ ઝાપડા પર હુમલો કર્યો ત્યારે તેને બચાવવા જતા સગરામભાઇ ઘવાયા હતા. ઝપાઝપી દરમિયાન સામા પક્ષે અસલમશા રસુલશા ફકીર ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એન. એન.ચુડાસમા, પીએસઆઇ રોહડીયા અને રાઇટર હિતેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે પાંચેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

રાજકોટમાં પંદર દિવસમાં ચાર હત્યા

શહેરમાં છેલ્લા પંદર દિવસમાં ચાર હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે. જંકશન પ્લોટમાં સરદારજી યુવાન, ઢાંઢણીની વૃધ્ધા, કોઠારિયા સોલવન્ટ પાસે યુવાનની હત્યાની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે સોખડા રોડ પર ભરવાડ યુવાનની નજીવી બાબતે હત્યા થતા સનસનાટી મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.