Abtak Media Google News

વડોદરા શહેરની ભાગોળે આવેલા આજવા સરોવરના રૂલ લેવલ પરથી વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. આજવા સરોવરમાંથી 212.30 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નદી શહેરના કાલાઘોડા બ્રીજ પર 30 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. વિશ્વામિત્રી નદી જે આજવા સરોવરમાંથી વહે છે.રાતે 11.30 વાગે કાલાઘોડા સહિતના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ખડકાયો . સમા સાવલી રોડથી હરણી તરફનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.