Abtak Media Google News

 

રામનગરમાં ઝેરી ટીકડા પી લેનાર મહિલાનું સારવારમાં મોત

રાજકોટમાં બે અલગ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પ્રથમ બનાવવામાં નવા થોરાળા માં રહેતા યુવાન પર પૈસા ઉપરાણીના મામલે ચાર શખ્સોએ તેને ઢિકા પાટુનો માર મારી છરી ઝીંકી દેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવવામાં રામનગર શેરી નંબર પાંચમાં રહેતી મહિલાએ ઝેરી ટીકડા પી લેતા તેનું સારવારમાં મોત નીપજ્યું છે.

પ્રથમ બનાવની માહિતી મુજબ નવા થોરાળા મેઈન રોડ પર આંબેડકરનગર શેરી નં-2 માં રહેતા પારૂલબેન કિશોરભાઈ સોંદરવા (ઉ.વ.48) એ એવી ફરિયાદ નોંધાવી છે કે તેનો પુત્ર આરોપી ધ2મ ઉર્ફે કાનભાઈ બારૈયા પાસેથી રૂપીયા માંગતો હોવાથી તેની ઉઘરાણી કરતા ધરમ ઉપરાંત ભરત બારૈયા, શૈલેષ પરમાર, રોહિત ઉર્ફે રાહુલ બારૈયાએ તેના પુત્ર પર છરી વડે હુમલો કરી ગડદાપાટ્ટુનો મારમાર્યો હતો. થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આગળ હાથધરી છે.

જ્યારે બીજા બનાવમાં હુડકો ચોકડી નજીક રામનગરમાં રહેતા ગીતાબેન દિનેશભાઈ ઓડેદરા (ઉં.વ.42)એ આજે સવારે ઘરે ઘઉંમાં નાખવાના ટીકડી ખાઈ જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું . આજી ડેમ પોલીસે મૃત્યુ પામનાર મહિલાએ ક્યા કારણસર આ પગલું ભરી લીધું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.