Abtak Media Google News

દ્વારકામાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

આગામી તા.૧૩મીના ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીના શુભદિને દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાનાત્રણબતીચોકમાં આવેલ સિધ્ધિવિનાયક ગણપતિ મંદિરે વિશેષ પૂજન અર્ચનનું આયોજન દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયા તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવનાર છે.

Advertisement

61Mznehwel. Sx425ઈશ્વરભાઈ ઝાખરીયા પરિવાર દ્વારા વિધ્નહર્તાદેવના આગમનને આવકારતા વિશેષ પૂજન અર્ચન કરાયા બાદ વિનાયક ગણપતિને ૫૧૦૦ મોદક લાડુનો વિશેષ ભોગ ધરાવવામાં આવશે જેનું બાદમાં દ્વારકાના સ્થાનીય ભાવિકો તેમજ બહારગામથી પધારેલ યાત્રાળુઓમાં વિતરણ કરાશે ગણાધ્યક્ષનું વિશેષ પૂજન તા.૧૩ ગૂ‚વારે સાંજે ૫ વાગ્યે તથા ધૂમ્રકેતુની વિશેષ આરતી સાંજે ૭.૩૦ કલાકે યોજાશે.

આ વિશેષ અવસરમાં એકદંતાય ગણપતિજીના આગમનને વધાવવા તેમજ પૂજન અર્ચન તથા પ્રસાદીનો લાભ લેવા સ્થાનીય ભાવિકોને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયા તથા ટ્રસ્ટીગણે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.